રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવનાર દારા સિંહ વિશેની કેટલીક વાતો ભાગ્યે જ કોઈ જાણતું હશે. શરૂઆતમાં તેમને ફિલ્મોમાં ખાસ કોઈ રસ નહોતો. કુશ્તી અને અખાડો દારા સિંહનો પહેલો પ્રેમ હતો. તે અઠવાડિયાના સાતેય દિવસ કુશ્તી અને અખાડાને આપતા હતા અને અઠવાડિયામાં એક દિવસ આરામ કરતા હતા. એક ઈન્ટરવ્યૂમાં દારા સિંહે જણાવ્યું હતું કે, આજે ક્રિકેટ ખેલાડીઓનું જે રીતે નામ છે, એ સમયમાં કુશ્તી કરનાર પહેલવાનો ખૂબ ફેમસ હતા.
રામાયણ-મહાભારત ફરી પ્રસારિત થવાથી દર્શકો છે ખુશ
ટીઆરપીના રેકોર્ડ તોડી રહી છે આ સીરિયલ
પૈસાની તંગીથી બચવા રામાયણના હનુમાનએ શરૂ કરી હતી એક્ટિંગ
દારા સિંહે જણાવ્યું, એ જમાનામાં હરકુલિસ નામની એક ફિલ્મ આવી હતી. ત્યારે એક ભારતીય પ્રોડ્યૂસર મારી પાસે આવ્યા અને મારા એક સાથીને પોતાનો કાર્ડ આપીને જતા રહ્યાં. હું એ સમય ઘરે નહોતો. હું ઘરે પાછો આવ્યો તો મારા સાથીએ તે કાર્ડ આપ્યો અને કહ્યું કે, આ પ્રોડ્યુસર ફોન કરવાનું કહીને ગયા છે. તે તમને ફિલ્મમાં લેવા માંગે છે.
એ સમયે દારા સિંહને ફિલ્મોમાં કામ કરવામાં ખાસ કોઈ રસ નહોતો. જેથી તેમને ન તો એ તરફ કોઈ રસ દેખાડ્યો અને ન તો પેલાં પ્રોડ્યુસરને ફોન કર્યો. દારા સિંહે જણાવ્યું કે, એ પ્રોડ્યૂસર એક અઠવાડિયા પછી ફરી આવ્યો અને બોલ્યો, છોકરા-છોકરીઓ અમારી પાછળ ફરે છે કે અમે તેમને કામ આપીએ અને હું એક અઠવાડિયાથી તમારી પાછળ ફરી રહ્યો છું. ત્યારબાદ પ્રોડ્યુસરે સમજાવતા દારા સિંહે કહ્યું કે, તમે મને ખરેખર ફિલ્મમાં લેવા માંગો છો તો જણાવો કે એક્ટિંગ કોણ કરશે. તો પ્રોડ્યુસરે જવાબ આપ્યો કે, એ અમે કરાવી લઈશું.
પ્રોડ્યુસરએ કહ્યું કે, અમારા ડિરેક્ટર તમને કુશ્તી લડતા જોયા છે અને ફિલ્મમાં કુશ્તી લડવાનું વધુ કામ છે. દારા સિંહે ત્યારે વિચાર્યું કે, વૃદ્ધાવસ્થામાં જો તેની સ્થિતિ પણ અન્ય કુશ્તીબાજો જેવી થઈ ગઈ તો મુશ્કેલી ઊભી થઈ જશે. જેથી દારા સિંહે વિચાર્યું કે, આ નવા કામને કરીને નવી લાઈન ખુલી જાય અને ઘડપણ સેફ થઈ જશે.
દારા સિંહે જણાવ્યું કે, ગામા પહેલવાનની વૃદ્ધાવસ્થામાં હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના એક જાણીતા પહેલવાન વૃદ્ધાવસ્થામાં ઘોડાગાડી ચલાવતો હતો. દારા સિંહે આગળ કહ્યું કે, જ્યારે ફિલ્મ બની તો ડિરેક્ટર ફિલ્મથી ખુશ નહોતા પરંતુ આ ફિલ્મ હિટ થઈ ગઈ. ત્યારબાદ 2-3 પ્રોડ્યુસર મારી પાસે આવ્યા અને મેં ફિલ્મી કરિયરને ગંભીરતાથી લેવાનું શરૂ કરી દીધું અને કામ શીખવાનું શરૂ કર્યું.