ભારતીય રેલ્વેએ ભગવાન શ્રી રામના જીવન સાથે જોડાયેલા મુખ્ય સ્થળોને જોવા માટે રામાયણ સર્કિટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. જે હવે શરૂ થવા જઇ રહી છે.
ભારતીય રેલ્વેએ ભગવાન શ્રી રામના જીવન સાથે જોડાયેલા મુખ્ય સ્થળોને જોવા માટે રામાયણ સર્કિટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી.
આ ટ્રેન અયોધ્યા સહિત અનેક સ્થળોએ જશે. રામાયણ સર્કિટ પરની પહેલી ટ્રેન રવિવારે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે. IRCTCએ કોવિડ-19 સંબંધિત પરિસ્થિતિમાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા અને ટ્રેનો દ્વારા ઘરેલુ પર્યટન ફરી શરૂ કરવાની દિશામાં આ યોજના બનાવી છે.
First train departure on the 'Ramayana Circuit' will commence from Delhi's Safdarjung railway station today. The 17 days tour will cover many prominent locations including Ayodhya, Sitamarhi & Chitrakoot, associated with the life of Lord Ram
IRCTC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડીલક્સ એસી ટ્રેનમાં બે પ્રકારના કોચ છે - ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી.
સુરક્ષાની દ્રષ્ટિએ ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને દરેક કોચ માટે સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થા છે. ટ્રેનમાં બે ડાઇનિંગ રેસ્ટોરન્ટ, આધુનિક રસોડું, કોચમાં શાવર રૂમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
એક સમાચાર એજન્સી અનુસાર, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ ગઈ કાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવી જ એક યાત્રા 7 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. ત્યાર બાદ અન્ય ચાર ટ્રેનો પણ રવાના થશે.
દક્ષિણ ભારતના ધાર્મિક પ્રવાસનને ધ્યાનમાં રાખીને, IRCTC શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ-મદુરાઈનું સંચાલન કરશે. આ ટ્રેન મદુરાઈથી શરૂ થશે અને હમ્પી, નાસિક, ચિત્રકૂટ, અલ્હાબાદ, વારાણસી જશે અને મદુરાઈ પરત ફરશે.
આ ટ્રેન 16મી નવેમ્બરે ઉપડશે. એવું કહેવામાં આવ્યું હતું કે શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ-શ્રી ગંગાનગર 25 નવેમ્બરે નીકળશે.