રામાનંદ સાગરની રામાયણમાં ભરતનો રોલ નિભાવનાર એક્ટર સંજય જોગને આજે પણ લોકો યાદ કરે છે. રામ-લક્ષ્મણની સરખામણીમાં ભરતને સ્ક્રીન પર ઓછો સ્પેસ મળ્યો છે પરંતુ તેમ છતાં પોતાના કામથી તેણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. ચાલો જાણી આ કલાકારથી જોડાયેલી કેટલીક ખાસ વાતો.
રામાયણને હાલ દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે
રામાયણના ફરી પ્રસારણથી તેના કલાકારો લાઈમલાઈટમાં આવ્યા
રામાયણમાં ભરતનો રોલ નિભાવનાર એક્ટરનું નાની વયે જ થઈ ગયું નિધન
સંજય જોગનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. સંજયે મુંબઈના એક સ્ટુડિયોથી એક્ટિંગ કોર્સ કર્યો હતો. આમ તો સંજય એરફોર્સમાં પાયલટ બનવા માંગતો હતો, પરંતુ તેના પેરેન્ટ્સને મંજૂર નહોતું. રિપોર્ટ્સ મુજબ, સંજયની ફેમિલીએ તેમના ઘણાં સંબંધીઓને વર્ષ 1971માં થયેલાં ઈન્ડિયા-પાકિસ્તાનના યુદ્ધમાં ગુમાવી દીધા હતા. જેથી તેના પેરેન્ટ્સ નહોતા ઈચ્છતા કે તેમનો દિકરો આ ફીલ્ડમાં જાય.
સંજય જોગે મરાઠી સિનેમામાં પણ કામ કર્યું છે. તેની ડેબ્યૂ ફિલ્મ મરાઠી હતી. જેનું નામ સિપલા હતું અને આ ફિલ્મ 1976માં રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. જેના કારણે સંજય નિરાશ થઈ ગયો હતો. ત્યારબાદ તે નાગપુરમાં પોતાના ઘરે પરત ફર્યો અને ત્યાં તેણે ખેતી પર ફોકસ કર્યું. એકવાર તે ખેતીના કામથી મુંબઈ ગયો હતો. ત્યાં તેને મલ્ટી સ્ટારર મરાઠી ફિલ્મ જિદ માટે એક રોલ ઓફર થયો.
સંજયને ફિલ્મ જિદમાં લીડ રોલ મળ્યો હતો. આ ફિલ્મમાં મરાઠી સિનેમાના કેટલાક પોપ્યુલર નામ પણ સામેલ હતા. આ ફિલ્મ હિટ થઈ. ત્યારબાદ સંજયના કરિયરને સફળતા મળી. સંજય જોગે લગભગ 30 મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. તેણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું. ધીરે-ધીરે તે હીરોથી એન્ટી હીરોના રોલ પણ કરવા લાગ્યો.
A post shared by Ramayan (@ramanandsagarramayan) on
સંજય જોગ 1989માં હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી. તેની ડેબ્યૂ બોલિવૂડ ફિલ્મ અપના ઘર હતી. આ પછી, તેણે જીગરવાલા, હમશક્લ, નસીબવાલા, બેટા હો તો એસામાં કામ કર્યું. તેની છેલ્લી ફિલ્મ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ બેટા હો તો એસા હતી. પછી સંજયે રામાનંદ સાગરની રામાયણથી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. ભરતની ભૂમિકા નિભાવ્યા પછી તે ઘરે- ઘરે લોકપ્રિય થયો.
પહેલાં સંજયને લક્ષ્મણનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો, જોકે, રિપોર્ટ્સ મુજબ તેની પાસે ડેટ્સ નહોતી એટલે તેણે આ રોલ કરવાનો ઈન્કાર કર્યો હતો અને પછી તેને ભરતનો રોલ આપવામાં આવ્યો. 27 નવેમ્બર 1995માં સંજયના ફેન્સને મોટો ઝટકો લાગ્યો. લિવર ફેલ થવાને કારણે તેનું નિધન થઈ ગયું. માત્ર 40 વર્ષની ઉંમરે જ સંજય જોગે દુનિયાને અલવિદા કહી દીધું.