લોકડાઉનની સ્થિતિમાં લોકોનો સમય પસાર થાય તે માટે દૂરદર્શન ફરી એક વખત રામાનંદ સાગરની રામાયણ ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે.
1987 માં શરૂ થયેલા થયેલા દૂરદર્શનના સુપરહિટ શો 33 વર્ષ પછી પણ લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ પોતાના કેરેક્ટરને જીવિંત કરી દીધા હતા, જેમાંથી એક નામ વિભીષણનું કેરેક્ટર પ્લે કરનારા એક્ટર મુકેશ રાવલ.
રામાયણમાં વિભીષણનું કેરેક્ટર ઓડિયન્સને ખૂબ જ પસંદ આવ્યુ હતુ. રામ, સીતા, ભરત, લક્ષ્મણ, રાવણ અને હનુમાનની જેમ મુકેશ રાવલે પણ પોતાના કેરેક્ટરને એવી રીતે પ્લે કરેલું કે લોકોના દિલમાં તેની જગ્યા ખાસ બની ગઇ હતી. રામાયણમાં કામ કરતા પહેલા મુકેશ રાવલ થિયેટર્સ કરતા હતા.
વર્ષ 1951 માં મુંબઇમાં જન્મેલા મુકેશ રાવલે હિંદીની સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યુ છે. જિદ્દ, યે મઝદાર, લહૂ કે દો રંગ, સત્તા, ઔઝાર અને કસક જેવી હિંદી ફિલ્મોમાં તેમના કામને ખૂબ જ વખણાવામાં આવ્યુ હતુ. આ સિવાય તેઓ ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યા છે.
જોકે મુકેશ રાવલને ટીવી માટે વધારે લગાવ હતો, તેમણે હસરતે, બીંદ બનૂંગા ઘોડી ચઢૂંગા જેવી સીરિયલ્સમાં કામ કર્યુ છે. છેલ્લે તેઓ ગુજરાતી સીરિયલ નસ નસ મેં ખુન્નસમાં જોવા મળ્યા હતા. આ સારિયલનું ટેલિકાસ્ટ 2016માં થયું હતુ.
15 નવેમ્બર 2016 માં અચાનક સમાચાર આવ્યા કે એક ટ્રેન દુર્ઘટનામાં તેમનુ મૃત્યુ થયુ. મુંબઇ સ્થિત કાંદિવલી રેલ્વે સ્ટેશનના નજીકના ટ્રેક પર તેમની લાશ મળી હતી. ઘણા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ રાવલે આત્મહત્યા કરી છે, જોકે તેમના પરિવારના લોકોએ આ વાતથઈ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.