ભારતીય ટેલિવિઝનના ઈતિહાસના સૌથી લોકપ્રિય અને સફળ શોમાંથી એક રામાયણ દૂરદર્શન પર ફરી પ્રસારિત કરવામાં આવ્યું છે. ત્યારે એક દુઃખદ સમાચારથી લોકો ભાવુક થઈ ગયા છે. શોમાં સુગ્રીવ અને બાલીનો રોલ નિભાવનાર શ્યામ સુંદરનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા. જેથી હવે લોકડાઉનને કારણે તેમની અસ્થિનું ગંગામાં વિસર્જન કરી શકાશે નહીં.
રામાયણના આ પાત્રનું નિધન
થોડાં સમય પહેલાં જ રામાયણનું રિ-ટેલિકાસ્ટ શરૂ થયું હતું
રામાયણ ફરી પ્રસારિત થવાને કારણે તેના કલાકારો ચર્ચામાં આવ્યા
લોકડાઉનમાં દુનિયાને અલવિદા કહી ચૂકેલાં શ્યામ સુંદરના પરિવારના લોકો હવે લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહ્યાં છે, જેથી તેમની અસ્થિનું ગંગામાં વિસર્જન કરી શકાય. તેઓ છેલ્લા 20 વર્ષની કાલકાની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહી રહ્યાં હતા. શ્યામ સુંદરના પરિવારનું કહેવું છે તેઓ રામચરિતમાનસનું પાઠ કરી રહ્યાં હતા જ્યારે તેમના પ્રાણ નીકળ્યા હતા.
શ્યામની પત્ની પ્રિયા કલાની મુંબઈ નગર નિગમમાં અધિકારી હતી અને તે રિટાયર થયા તે બાદ તેમનો પરિવાર પંચકૂલાના કાલકા શહેરમાં આવીને રહેવા લાગ્યા. શ્યામ સુંદર કલાનીએ રામાયણ સિવાય ત્રિમૂર્તિ, છૈલા બાબૂ અને હીર રાંઝા જેવી ફિલ્મો સહિત જય હનુમાનમાં હનુમાનની ભૂમિકા ભજવી હતી.
આ રીતે થઈ હતી કાસ્ટિંગ
રામાયણ સીરિયલના નિર્માતા પ્રેમ સાગરે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે રામાયણના તમામ કલાકારોની પસંદગી કરી લીધી હતી બસ સુગ્રીવના રોલ માટે એક સારાં કલાકારની જરૂર હતી. પછી જ્યારે તેઓ આ રોલ માટે કોઈ ન મળતા પરેશાન થઈ ગયા અને મનોમન ભગવાન રામને યાદ કર્યા અને બીજા દિવસે શ્યામ સુંદર તેમના સેટ પર પહોંચ્યા અને તેમને સુગ્રીવના રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યા હતા.