ઇસ્લામ ધર્મમાં રમઝાન મહિનો ખૂબ જ મહત્વનો છે. કહેવામાં આવે છે કે આ મહિનામાં પવિત્ર પુસ્તર કુરાન સ્વર્ગમાંથી ઊતારવામાં આવી હતી. રોઝા ઇસ્લામના પાંત સ્તંભોમાથી એક છે. રોઝા આપસી ભાઇચારાનું પ્રતિક છે તો બીજી બાજુ ઇન્સાનને પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખવાનો સંદેશ પણ આપે છે. રોઝા ગરીબો અને દુખ દર્દ અને ભૂખ્યા તરસ્યાનો આભાસ કરે છે.
ઇસ્લામના જાણકારનું કહેવું છે કે રમઝાન મહિનો શાંતિનો છે. એ દરમિયાન અલ્લાહ વિશેષ વિધિને આશીર્વાદ આપે છે. અલ્લાહે કુરાન શરીફમાં ઘણી જગ્યાએ રોઝા રાખવા જરૂરી જણાવ્યા છે.
રોઝાનો ઇતિહાસ
અલ્લાહના હુકમથી સન 2 હિજરીથી મુસલમાનો પર રોઝા રાખવા ફરજિયાત કરવામાં આવ્યા હતા. એનું મહત્વ એટલા માટે વધારે છે કારણ તે રમઝાનમાં શબ એ કેન્દ્ર દરમિયાન અલ્લાહે કુરાન જેવું પુસ્તક આપ્યું. રમઝાનમાં દાનનું ખૂબ જ મહત્વ છે. કોઇની પાસે જો વર્ષ દરમિયાન એની જરૂરીયાત કરતા વધારે સાડા 52 તોલા ચાંદી અથવા એની બરાબરની રકમ અથવા કિંમતી સામાન છે તો એનું 2.5 ટકા દાનના રૂપમાં ગરીબ અથવા જરૂરીયાતમંદ મુસ્લિમને આપવું જોઇએ.
રોઝાનું મહત્વ
રોઝાને અરબી ભાષામાં સૌમ રહેવામાં આવે છે. સોમનો અર્થ થાય છે પોતાની પર નિયંત્રણ અથવા કાબૂ રાખવો. આ એ મહિનો છે જ્યારે આપણે ભૂખની લાગણીને મહેસૂસ કરીએ છીએ અને વિચારીએ છીએ એક ગરીબ માણસ ભૂખ લાગવા પર કેવો અનુભવ કરતો હશે. બિમાર માણસ જે પૈસા હોવા છતાં કંઇ ખાઇ શકતો નથી એની લાચારતા મહેસૂસ કરીએ છીએ.