ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં વાયનાડથી રાહુલ ગાંધીને ચૂંટીને કેરળના લોકોએ વિનાશકારી કામ કર્યું છે. ગુહાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીનું કોઇ ભવિષ્ય નથી.
કેરળના લોકોને રામચંદ્ર ગુહાનો સવાલ
રાહુલ ગાંધીને તમે કેમ જીતાડ્યાં
યુવા પેઢીને વંશવાદનુ રાજકારણ પસંદ નથી
કેરળના સાહિત્ય મહોત્સવના બીજા દિવસે 'રાષ્ટ્ર ભક્તિ બનામ અંધરાષ્ટ્રીયતા' વિષય પર રામચંદ્ર ગુહાએ કહ્યું કે 'ખાનદાનની પાંચમી પેઢી' રાહુલ ગાંધી પાસે ભારતીય રાજકારણમાં 'કઠોર પરિશ્રમ અને પોતા જાતે પોતાનું સ્થાન બનાવનાર' નરેન્દ્ર મોદી સામે કોઇ તક નથી.
Historian Ramachandra Guha: If you Malyalis make the mistake of re-electing Rahul Gandhi in 2024 too, you are merely handing over an advantage to Narendra Modi because Narendra Modi's great advantage is that he is not Rahul Gandhi. (17.1) https://t.co/i0pgZqJ4V3
જો કે રામચંદ્ર ગુહાએ કહ્યું કે જો કે હું રાહુલ ગાંધી વિરુદ્ધ નથી. તેઓ શાંત અને સરળ સ્વભાવના છે પરંતુ યુવા ભારત એક ખાનદાનની પાંચમી પેઢીને સ્વીકારતી નથી. જો તમે મલયાલી લોકો 2024માં બીજી વખત રાહુલ ગાંધીને જીતાડવાની ભૂલ કરશો તે કદાચ નરેન્દ્ર મોદીને જ એક તરફથી મદદ કરશો.
Historian Ramachandra Guha at Kerala Literature Festival in Kozhikode: Why did you (Malyalis) elect Rahul Gandhi to Parliament. I have nothing against Rahul Gandhi personally. He is a decent fellow,very well-mannered. But young India does not want a fifth-generation dynast.(17.1) pic.twitter.com/B8MEnPKMME
રામચંદ્ર ગુહાએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ 15 વર્ષ સુધી સતત એક રાજ્યની સત્તા સંભાળી છે. તેમને રાજકીય-પ્રશાસનનો અનુભવ છે. મોદી ખૂબ મહેનતું છે, તેઓ ક્યારેય યૂરોપમાં રજા ગાળવા જતા નથી. આ બધુ હું ઘણુ ગંભીરતાથી બોલી રહ્યું છું.
ગુહાએ કહ્યું કે જો કેરળના લોકો બીજી વખત રાહુલ ગાંધીને જીતાડશે તો નરેન્દ્ર મોદીને ફાયદો પહોંચાડશે કારણ કે નરેન્દ્ર મોદીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ રાહુલ ગાંધી નથી.