દેશમાં ગઠબંધનના રાજકારણના મહારથીઓની ચર્ચામાં બિહારના રામવિલાસ પાસવાનનું નામ સૌથી પહેલાં લેવાય છે. ત્રણ દાયકાથી જે પણ ક્ષેત્રીય પક્ષોના મહારથીઓએ સત્તાના સૌથી નિપુણ દાવ રમ્યા હોય તેમાં લોક જનશક્તિ પાર્ટી સુપ્રીમો રામવિલાસ પાસવાન સામેલ છે. સરકાર કોઇપણ હોય, રામ વિલાસ પાસવાન મંત્રી જરૂર રહ્યાં.
ઉલ્લેખનીય છે કે, NDAની સરકારમાં કેબિનેટ મંત્રી પાસવાને ફરીથી નવી સરકારમાં શપથ લીધા છે. રામવિલાસ પાસવાન બિહારથી રાજ્યસભા પણ જશે. તેમને કન્ઝયુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન મંત્રાલયની જવાબદારી સોંપાઇ છે. લોકસભા ચૂંટણીમાં રામવિલાસ પાસવાનની પાર્ટી (LJP)એ 6 બેઠક પર ચૂંટણી લડી હતી.
તેને તમામ બેઠકો પર જીત મેળવી છે. ત્યારબાદ એલજેપી અધ્યક્ષ રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે, તેમની પાર્ટી ચિરાગ પાસવાનને મંત્રી બનાવા માંગે છે, પરંતુ અંતિમરૂપથી રામવિલાસ પાસવાનના નામ પર મ્હોર લાગી. જે પણ હોય, રાજકીય કરવટની દશા-દિશાનું અનુમાન લગાવામાં પાસવાન નંબર વન છે.
વિરોધીઓ તેના માટે તેમના પર રાજકીય હવામાન વૈજ્ઞાનિક કહી કટાક્ષ પણ કરતા રહે છે. રાજકીય હવા કંઇ બાજુ ચાલી રહી છે, તેને માપીને નિર્ણય લેતા હોવાથી જ તેમની પાર્ટીની 2000માં રચના થયા બાદથી અંદાજે બે દાયકા દરમ્યાન મોટાભાગના સમયે કેન્દ્રની સત્તામાં રહ્યા છે. સરકાર એનડીએની રહી હોય કે પછી UPAની પાસવાન હંમેશા સત્તામાં રહ્યા છે.
રામવિલાસ પાસવાને 2000ના વર્ષમાં JDUથી અલગ થઇ LJP બનાવી.રામવિલાસ પાસવાને જ્યારે લોજપા બનાવી તો તેમની રાજકીય સફર પણ સત્તાની સાથે જ શરૂઆત થઇ. આ પાસવાનનું રાજકીય કૌશલ જ હતું તેમણે જેડીયુથી અલગ થઇ પાર્ટી બનાવી અને જેડીયુની સાથે એનડીએમાં પણ સામેલ રહ્યા તથા મંત્રી પણ બન્યા. જો કે પાસવાને 2002ના ગુજરાત રમખાણ પર એનડીએ સાથે સંબંધ તોડી નાંખ્યા હતા.
યોગ્ય સમયે યોગ્ય દાવનું પરિણામ તેમના પક્ષમાં ગયું. 2004ની લોકસભા ચૂંટણી પહેલાં તેમને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પહેલ પર એનડીએ વિરોધી મોર્ચો સંભાળી લીધો. આગળ રામવિલાસ પાસવાન 2004માં યુપીએમાં સામેલ થઇ કેન્દ્રની મનમોહસિંહ સરકારમાં મંત્રી બન્યા. બાદમાં 2009માં તેમણે કોંગ્રેસથી છેડો ફાડી દીધો હતો અને બાદમાં તેઓ 2014થી ફરી મોદીના મંત્રી મંડળમાં સામેલ થયા હતા..અન નવી સરકારમાં પણ તેમણે આ પદ મેળવ્યું છે.