ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યામાં મંદિરના નિર્માણની શ્રદ્ધાળુઓ વર્ષોથી રાહ જોઈ રહ્ય હતા. 5 ઓગસ્ટે રામ જન્મભૂમિના ભૂમિ પૂજનની સાથે જ મંદિર નિર્માણ કાર્યનો પણ આરંભ થશે. પીએમ મોદી ભૂમિ પૂજનમાં સામેલ થશે અને શિલાન્યાસ કરશે. ભૂમિ પૂજન માટે 12.15 મિનિટનો સમય નક્કી કરાયો છે.
5 ઓગસ્ટે થશે રામમંદિરનું ભૂમિ પૂજન
12.15 મિનિટના મૂહૂર્તમાં કરાશે ભૂમિ પૂજન
પીએમ મોદી કરશે મંદિરનો શિલાન્યાસ
શા માટે પસંદ કરાયો 5 ઓગસ્ટનો દિવસ
રામ મંદિરના ભૂમિ પૂજન માટે 5 ઓગસ્ટને પસંદ કરાયો છે. આ શુભ દિવસ છે. ભૂમિ પૂજન અભિજિત મૂહૂર્તમાં કરાશે. કાર્યક્રમનો આરંભ ઘનિષ્ઠા નક્ષત્રમાં કરાશે. કાશીથી પંડિતોને પણ બોલાવવામાં આવ્યા છે. તેઓ મંદિરના નિર્માણની પૂજા કરશે.
વૈભવકારી છે અભિજિત મૂહૂર્ત
જ્યોતિષીઓનું માનવું છે કે આ મૂહૂર્તમાં ભૂમિ પૂજન વૈભવકારી સાબિત થશે. જો આ સમયે કાર્ય શરૂ થશે તો તેમાં સફળતા મળશે. 15 મૂહૂર્તમામંથી આઠમા નંબરે આ મૂહૂર્ત છે જે ખૂબ જ ફળદાયી રહેશે. જ્યોતિષમાં 28મો નક્ષત્ર અભિજિત હોય છે જે દરેક કાર્યો માટે શુભ હોય છે. જો કોઈ શુભ મૂહૂર્ત ન હોય તો આ નક્ષત્ર બેસ્ટ ગણાય છે. માટે આ દિવસ અને નક્ષત્ર પસંદ કરાયું.
ઘનિષ્ઠા નક્ષત્રનો ભૂમિ સાથે છે સીધો સંબંધ
આ નક્ષત્રનો સ્વામી મંગળ છે જે ભૂમિનો કારક ગ્રહ છે. તેમાં ભૂમિ પૂજનનો આરંભ થશે. વસુ આ નક્ષત્રના દેવતા છે જે વિષ્ણુ અને ઈન્દ્રના રક્ષક છે. ભૂમિપૂજન માટે શુભ સંયોગ ગણાય છે. 27 નક્ષત્રોમાં ઘનિષ્ઠા નક્ષત્ર 23મું નક્ષત્ર ગણાય છે. તેનો સીધો સંબંધ શ્રીકૃષ્ણ સાથે હોવાનું પણ માનવામાં આવે છે.
40 કિલો ચાંદીની ઈંટ રખાશે
પીએમ મોદી 40 કિલો ચાંદીની ઈંટ ગર્ભગૃહમાં રાખશે. સાથે પાંચ ચાંદીની ઈંટ રખાશે જે પાંચ નક્ષત્રોનું પ્રતિક હશે. લગભગ સાડા 3 ફીટનો ખાડો ખોદાશે જેમાં પાતાળ લોકના દેવતાની પૂજા કરાશે જેથી લાખો વર્ષો સુધી આ મંદિરને કોઈ નુકસાન ન થાય.
જોવાલાયક હશે મંદિરની ભવ્યતા
ગ્રહ નક્ષત્રના આધારે કહી શકાય કે મંદિરના નિર્માણમાં થોડા સમયની રાહ જોવી પડે તેમ છે. જ્યારે મંદિર બનશે ત્યારે તેની ભવ્યતા જોવા લાયક હશે. રામ મંદિર નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે પણ કોઈ શુભ મૂહૂર્ત બન્યા હતા. જેમાં કાર્તિક મહિનાના સંયોગમાં હર્ષણ યોગ હતો અને સાથે જ શુક્લ પક્ષની બારશ જેના સ્વામી ભગવાન વિષ્ણુ છે.