અયોધ્યા મામલે સૂપ્રીમ કોર્ટમાં ચૂકાદો આવ્યાંને ત્રણ મહિના જેટલો સમય પસાર થઇ ગયો છે ત્યારે હવે માત્ર પાંચ દિવસ જેટલો સમય બાકી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત કરવામાં આવી રહીં નથી. રામ મંદિર ટ્રસ્ટ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા 9 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગેની કામગીરી નક્કી કરશે. તેમ છતાં કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી ટ્રસ્ટના નિર્માણ અંગેની જાહેરાત કરવામાં આવી નથી.
દિલ્લી ચૂંટણી વચ્ચે રામ મંદિર ટ્રસ્ટનું ગઠન અટવાયું
ટ્રસ્ટ ગઠનની સમયસીમા પૂર્ણ થવામાં 5 દિવસ જ બાકી
SCએ 9 ફેબ્રુઆરી પહેલા ટ્રસ્ટ બનાવવા કર્યો હતો આદેશ
ઉલ્લેખનીય છે કે રામ મંદિરના પક્ષમાં 9 નવેમ્બર 2019ના રોજ ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટે મંદિર નિર્માણ માટે એક નવા ટ્રસ્ટ ગઠનની જવાબદારી કેન્દ્ર સરકારને સોંપી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો કે તેઓ સુન્ની વકફ બોર્ડને નવી મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં પાંચ એકરનો પ્લોટ પણ આપે.
દિલ્લી ચૂંટણી વચ્ચે રામ મંદિર ટ્રસ્ટનું ગઠન અટવાયુ છે. ટ્રસ્ટ ગઠનની સમયસીમા પૂર્ણ થવામાં 5 દિવસ જ બાકી છે. SCએ 9 ફેબ્રુઆરી પહેલા ટ્રસ્ટ બનાવવા આદેશ કર્યો છે. ટ્રસ્ટ રામ મંદિર નિર્માણની કાર્યપદ્ધતિ નક્કી કરશે. અને આ ટ્રસ્ટ બનાવવની જવાબદારી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોંપી હતી.
ગૃહમંત્રાલય પાસે ટ્રસ્ટ બનાવવાની જવાબદારી છે. જો કે ગૃહ મંત્રાલયે પક્ષકારો પાસેથી સૂચન પણ મેળવ્યા છે. ટ્રસ્ટના અધ્યક્ષ-સભ્યોને લઇ મૂંઝવણ થઇ રહી છે. રામ મંદિર આંદોલન સાથે અનેક સાધુ સંત જોડાયેલા છે ત્યારે ટ્રસ્ટના અધ્યક્ષ-સભ્યોને લઇ મૂંઝવણ થઇ રહી છે.
જો કે કેન્દ્ર સરકારે પહેલા રામ મંદિર ટ્રસ્ટના પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં લાવવો પડશે, જ્યાં ટ્રસ્ટના બંધારણનું માળખુ અને તેના સભ્યો અંગેની જાણકારી જેવી મહત્વની જાણકારી આપવી પડશે. આ ટ્રસ્ટમાં કોણ-કોણ સભ્ય હશે, આ કઇ રીતે કામ કરશે અને રામ મંદિરનું નિર્માણ કેવું હશે આ અંગેની સારી વાત કેબિનેટની બેઠકમાં નક્કી કરવામાં આવશે.