અયોધ્યામાં બની રહેલું ભવ્ય રામમંદિર ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે અને તે પછી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ ઉઠાવી શકશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે
ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે
રામમંદિર ટ્રસ્ટના સૂત્રોએ આપી મોટી માહિતી
રામમંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યાનુસાર ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનું કામકાજ પૂર્ણ કરી દેવાનો ટ્રસ્ટનો વિચાર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે કહ્યું હતું કે મંદિરના મુખ્ય પરિસર ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે અને તે પછી શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.
મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા લોકો આ વર્ષની શરૂઆતથી ઘણી વખત કહી ચૂક્યા છે કે બે વર્ષમાં, મંદિરમાં પૂજા શરૂ થશે અને સામાન્ય ભક્તોને દેવતાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનું કામ લગભગ પૂર્ણ થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા કરી શકશે.
રામમંદિર ભૂમિ પૂજનને 1 વર્ષ પુરુ થયું
2020 માં આજના દિવસે અયોધ્યામાં રામમંદિર ભૂમિ પૂજન થયું હતું. પ્રધાનમંત્રી મોદી તથા મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતા. અયોધ્યામાં રામજન્મભૂમિ ખાતે રામમંદિરના પાયાનું ભૂમિ પૂજન ખુદ વડાપ્રધાન મોદી કરી ચૂક્યા છે ત્યારે હવે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટે ભંડોળ ભેગુ કરવામાં આવી રહ્યું છે. VHP દ્વારા રામજન્મભૂમિ માટે કાર્યક્રમ કરશે. પ્રત્યેક હિન્દૂ સમાજના વ્યક્તિ પાસેથી 10 રૂપિયા દાન ઉઘરાવાશે. ગુજરાતમાંથી પ્રત્યેક હિન્દૂ સમાજના વ્યક્તિ પાસેથી દાન ઉઘરાવાશે.
કુલ 33 કરોડ હિન્દૂઓ પાસે સન્માન નિધી મેળવાનો લક્ષ્યાંક
કુલ 33 કરોડ હિન્દૂઓ પાસે સન્માન નિધી મેળવાનો લક્ષ્યાંક છે. મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા સુધી નિધિ સંગ્રહ માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. રામમંદિરના નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાં સન્માનનિધી ઉઘરાવશે. અગાઉ 8 કરોડનું દાન એકત્ર કરીને રામમંદિરને અર્પણ કર્યુ હતું.