મુંબઇ: રામ મંદિર મુદ્દે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે નિવેદન આપતા કહ્યું કે રામ મંદિર અને બાબરી મસ્જીદ અંગે રાજનીતિ બંધ થવી જોઈએ. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રામ મંદિર અને બાબરી મસ્જીદનો મુદ્દો ઉભો થાય છે. આ મુદ્દો છેલ્લા 25 વર્ષથી ચાલે છે તેનો અંત લાવવો જોઈએ.
આ મુદ્દે કાયદો બનાવવો જોઈએ. જો કાયદો આજે નહીં બને તો ક્યારેય નહીં બને. સત્તા પર આવેલા લોકોએ પણ જે વચન આપ્યુ હતુ તે પાળવુ જોઈએ. આગામી વર્ષે પાર્લામેન્ટની સ્થિતિ શું હશે તે કહી ન શકાય.
અમારી પાસે બહુમતી છે અને રાષ્ટ્રપતિ પણ છે. અમે કુરબાની આપી છે. મુસ્લિમ ભાઈઓ પણ ઈચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર જ બનવું જોઈએ. ત્યારે તેઓને સાથે બેસાડીને આ સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ. ન્યાયાલય સામે આંગળી ચીંધવાનું નાટક બંધ કરો.
If a law in not made today it will never be made later. Today we have majority we don't know what will be the situation after 2019 elections. Court cannot solve the Ram Temple issue it's a matter of faith. It is a matter of political will power &Modi ji can do it: Sanjay Raut pic.twitter.com/qTZGca9sDL
ઉલ્લેખનીય છે કે દશેરાની ઉજવણી સમયે રામ મંદિર મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાવણ દર વર્ષે આવે છે પરંતુ રામ મંદિર નથી આવતું.
પીએમ મોદીના નામ લીધા વગર ઠાકરેએ કહ્યું કે ધનુષ અને બાણ ઉપાડવા માટે કેટલાક ઇંચની છાતી નહીં હિમ્મત જોઇએ. તેમણે કહ્યું કે તે રામ મંદિર પર મોહન ભાગવતના નિવેદન માટે શુભેચ્છા આપીએ છીએ. તેમણે જે કહ્યું તે અમે કેટલાય વર્ષોથી કહેતા આવીએ રહ્યા છીએ.