રામસેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની માંગ ફરીથી સુપ્રીમ કોર્ટમાં ઉઠી છે. જેને લઇને એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી સરકારનું મંતવ્ય માગ્યુ છે.
રામસેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની માગ સુપ્રીમ કોર્ટમાં ઉઠી
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી છે અરજી
રામસેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની ફરી ઉઠી માગ
સુપ્રીમ કોર્ટે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગતા આગામી સુનાવણીની તારીખ 9 માર્ચ નક્કી કરી છે. સ્વામીએ આની પહેલા 2020માં રામસેતુને ઐતિહાસિક સ્મારક સ્વરૂપે માન્યતા આપવાની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. તે સમયે કોર્ટે બાદમાં વિચાર કરવાની વાત કહી હતી. સુપ્રીમ કોર્ટે તે સમયે પણ કેન્દ્ર સરકારને આ મુદ્દે એક સોગંદનામું દાખલ કરવા માટે કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામીએ 2018માં આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. સ્વામીએ રામસેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માગ કરી હતી.
વાનર સેનાએ બનાવ્યો હતો રામસેતુ?
હિન્દુ ધર્મ ગ્રંથ રામાયણમાં કહેવામાં આવ્યું છે કે વાનર સેનાએ રામને શ્રીલંકા પાર કરાવવા અને સીતાને બચાવવામાં મદદ કરવા માટે દરિયા પર એક પુલ બનાવ્યો હતો. ચુનાના પત્થરના શોલોની 48 કિલોમીટરની શ્રૃંખલાને રામાયણ સાથે જોડી દેવામાં આવી છે. આ માનવનિર્મિત છે, તેવા દાવા પર આ ટકેલુ છે. 2007માં એએસઆઈએ કહ્યું હતુ કે તેમને તેના કોઈ પુરાવા મળ્યાં નથી. બાદમાં સુપ્રીમ કોર્ટમાં આ સોગંદનામું પાછુ લઇ લીધુ.