ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરુ રામ રહિમને આજે સીબીઆઈ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. પૂર્વ ડેરા પ્રબંધકની હત્યા મામલે તેમને સજા ફટકારવામાં આવશે.
રામ રહિમને આજે સજા ફટકારાવામાં આવશે
પૂર્વ ડેરા પ્રબંધકની હત્યા મામલે કરશે સજા
2002માં ગોળી મારીને રંજીતસિંહની હત્યા કરાઈ હતી
પૂર્વ ડેરા પ્રબંધક રંજીત સિંહની હત્યાના આરોપી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને આજે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. 2002માં રંજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આજે સીબીઆઈ કોર્ટ દ્વારા ગુરમીત રામ રહીમ સહિત 5 આરોપીઓને સજા સંભળાવામાં આવશે.
700 જવાનો તૈનાત
આ સજાને લઈને પોલીસે પંચકૂલામાં પહેલાથી મોટી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી લીધી છે. પંચકુલાના 17 પોલીસ નાકા પર 700 જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. 19 વર્ષ બાદ સીબીઆઈની કોર્ટમાં ગુરમીત રામ રહિમે જે ગુનો આચર્યો હતો તેની સજા આપવામાં આવશે.
વીડિયો કોન્ફરન્સીંગથી કોર્ટમાં હાજર કરશે
કોર્ટ દ્વારા ગુરમીત રામ રહીત , કૃષ્ણ લાલ, અવતાર, જસવીર અને સબદિલને આજે સજા ફટકારવામાં આવશે. આજે કોર્ટમાં સુનાવણી વખતે દુષ્કર્મી ગુરમીત રામ રહીમને રોહતકની સુવારિયા જેલથી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા હાજર કરવામાં આવશે. જ્યારે અન્ય આરોપીઓને સીબીઆઈ કોર્ટમાંજ હાજર કરવામાં આવશે. જેમને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં ખસેડવામાં આવશે.
પંચકૂલામાં કલમ 144 લાગૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાનામાં રાખીને પંચકૂલામાં ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે. શહેરના 70 પોલીસ નાકા પર 700 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અગાઉ ડેરા સચ્ચા સૌદૈનૈ પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર બે સાધ્વિઓએ યોન શોષણના આરોપ લગાવ્યા હતા જેમા તે દોષી સાબિત થયો હતો. તે વખતે પંચકૂલા સહિત, પંજાબ, હરિયાણા, અને રાજસ્થાન જેવા શહેરોમાં પણ હિંસા ફાટી નીકલી હતી.
અગાઉ પંચકૂલાની હિંસામાં 30ના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે હિંસા થઈ હતી ત્યારે પંચકૂલામાં સૌથી વધારે હિંસા થઈ હતી. જેમા 30 લોકોના મોત થયા હતા. જ્યારે 250 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા હતા. સાથેજ દિલ્હીમાં તો એક ટ્રેનનો ડબ્બો પણ સળગાવામાં આવ્યો હતો. જેથી તે સમયે પરિસ્થિતીને અનુસરીને રામ રહીમને હેલિકોપ્ટરથી રોહતક સુનારિયા જેલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદથી તે ત્યાજ કેદ છે.