Ram Navami 2023: સનાતન પરંપરામાં જે રામના નામને તારક મંત્ર માનવામાં આવ્યો છે. તેમનો આશીર્વાદ ફક્ત અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિમાં જ નહીં પરંતુ આખા દેશના આ મંદિરોમાં વરશે છે. અહીં વાંચો દેશના પ્રસિદ્ધ રામ મંદિરો વિશે. જેના દર્શન માત્રથી મળે છે ભગવાન રામની કૃપા.
રામનવમી પર કરો આ મંદિરોના દર્શન
મળશે ભગવાન રામના આશીર્વાદ
રામનવમી પર અહીં જામે છે ભક્તોની ભીડ
હિંદૂ માન્યતા અનુસાર ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. આજ કારણ છે કે તેમનું સૌથી સિદ્ધ અને પવિત્ર ધામ શ્રી રામજન્મભૂમિને જ માનવામાં આવે છએ. જેના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો ન ફક્ત રામનવમી પર પરંતુ આખુ વર્ષ અહીં દર્શન અને પૂજા કરવા માટે પહોંચે છે.
આ દિવસે અયોધ્યામાં રામલલાને બિરાજમાન કરવા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સરયૂ નદીના શાંત અને મનોરમ તટ પર સ્થિત ભગવાન રામના આ પાવન ધામ વિશે માન્યતા છે કે અહીં જવાથી વ્યક્તિની દરેક મનોકામનાઓ જલ્દી પુરી થાય છે.
ઓરછાનું રામ મંદિર
અયોધ્યા નગરી સ્થિત રામલલાના મંદિરની જેમ જ મધ્ય પ્રદેશ સ્થિત ઓરછાનું રામ મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે કારણ કે અહીં શ્રી રામ ભગવાનના રૂપમાં નહીં પરંતુ રાજા રામના રૂપમાં પુજાય છે.
તેમને દરરોજ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. લગભગ 400 વર્ષ જુના આ મંદિરના વિશે માન્યતા છે કે ભગવાન રામ અહીં દરરોજ રાત્રે વિશ્રામ કરવા આવે છે અને સવારે અહીંથી જ અયોધ્યા જતા રહે છે.
જમ્મુનુ રધુનાથ મંદિર
દેશના પ્રસિદ્ધ રામ મંદિરમાંથી એક જમ્મૂ સ્થિત રઘુનાથ મંદિર છે. જેના વિશે માન્યતા છે કે અહીં જવા પર 33 કોટિ દેવી-દેવતાઓની પૂજાનું પુણ્ય મળે છે.
મહારાજા રણવીર સિંહ અને તેમના પિતા મહારાજા ગુલાબ સિંહ દ્વારા બનાવવામાં આવેલા આ ભવ્ય મંદિરમાં રામનવમીના દિવસે ભક્તોની ભારે ભીડ થાય છે. અહીં શ્રીરામના ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનું પણ મંદિર છે.
ચિત્રકૂટનું પાવન ધામ
ભગવાન રામ સાથે જોડાયેલા દેશના તમામ પાવન ધામમાંથી એક ચિત્રકૂટ પણ છે. જ્યાં તેમણે માતા સીતા અને ભાઈ લક્ષ્મણની સાથે વનવાસનો વધારે સમય પસાર કર્યો હતો.
હિંદુ માન્યતાઓ અનુસાર ભગવાન રામ અહીં પર સ્થિત અનુસૂયા માતાના આશ્રમમાં ઘણા દિવસો સુધી રહ્યા. વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલા લોકો માટે આ પાવન સ્થાન અયોધ્યા નગરીની જેમ ખૂબ જ પવિત્ર અને પુજનીય છે.
નાસિકનું કલારામ મંદિર
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત ભગવાન રામનું મંદિર વૈષ્ણવ ભક્તો માટે પ્રમુખ ધામ છે. હિંદુ માન્યતાઓ અનુસાર ભગવાન રામે આ સ્થાન પર પ્રવાસ કર્યો હતો.
આ મંદિરમાં ભગવાન રામની કાળા પત્થરોથી બનેલી આકર્ષક પ્રતિમા છે. આજ કારણ છે કે તેને કાલારામ મંદિર પણ કહેવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર અહીં ભગવાન રામના ચરણ ચિન્હ છે. જેના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે.
તમિલનાડુનુ રામાસ્વામી મંદિર
તમિલનાડુના કુંભકોણમ શહેરમાં સ્થિત રામાસ્વામી મંદિરને દક્ષિણના અયોધ્યાના રૂપમાં પૂજવામાં આવે છે. આ તમિલનાડુના ખૂબ જ સુંદર મંદિરમાંથી એક છે.
ભગવાન રામના આ મંદિરમાં પ્રભુ શ્રીરામની સાથે માતા જાનકી, લક્ષ્મણ, ભરત અને શત્રુદ્ન પણ બિરાજમાન છે. ભગવાન રામના આ મંદિરની વાસ્તુકળા ખુબ જ આકર્ષક છે. આ મંદિરમાં પ્રભુ શ્રી રામના દર્શન માટે લોકો મોટી સંખ્યામાં પહોંચે છે.