Ram Navami 2023: રામનવમી પર આ વખતે ગ્રહોનો ખૂબ જ શુભ યોગ બનવા જઈ રહ્યો છે. આ રામનવમી પર ભગવાન રામની સાથે સાથે માતા દુર્ગાની ખાસ કૃપા બની રહી છે. તેનો પ્રભાવ રાશિઓ પર પણ થશે. આવો જાણીએ રામનવમી પર બની રહેલા યોગ વિશે.
રામનવમી પર બની રહ્યો છે ખૂબ જ શુભ યોગ
ભગવાન રામની સાથે માતા દુર્ગાની પણ ખાસ કૃપા
આવો જાણીએ રામનવમી પર બની રહેલા આ શુભ યોગ વિશે
રામનવમીનો તહેવાર આ વર્ષે ખૂબ જ ખાસ રહેવાનો છે. હકીકતે આ વર્ષે રામ નવમી પર ગ્રહોનો એક ખાસ યોગ બની રહ્યો છે. આ ખાસ યોગની અસર અમુક રાશીઓ પર પણ પડશે. જેનાથી આ રાશિના જાતકોને ધન લાભની સંભાવના છે.
આવો જાણીએ રામનવમી પર બની રહેલા આ ખાસ યોગ વિશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રામનવમી પર ગ્રહોનો ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. તેનાથી ત્રણ રાશિના જાતકો પર ભગવાન રામની સાથે-સાથે માતા દુર્ગાની પણ ખાસ કૃપા બની રહી છે.
રામનવમી પર ગ્રહોનો ખાસ યોગ
જ્યોતિષોનું કહેવું છે કે આ વખતે રામનવમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગની સાથે ગુરૂ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ 30 માર્ચે સવારે 6.06થી શરૂ થશે, જે રાત્રે 10.59 મિનિટ સુધી રહેશે.
ત્યાર બાદ અમૃતસિદ્ધિ યોગ, ગુરૂ પુષ્ય અને સર્વાર્થ સિદ્ધિ યોગ રાત્રે 10.59 મિનિટથી શરૂ થશે. જે 31 માર્ચે સવારે 6.04 વાગ્યા સુધી રહેશે.
આ ત્રણ રાશિઓને થશે ફાયદો જ ફાયદો
સિંહ
સિંહ રાશિ માટે આ રામનવમી ખૂબ જ શુભ હશે. ચૈત્ર નવરાત્રીથી લઈને રામનવમી સુધી ખુશીઓ મળવાની છે. શ્રી રામની કૃપાથી સિંહ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તેના ઉપરાંત દેવાથી છુટકારો મળશે. સાથે જ આવકના નવા વિકલ્પ બનશે. બિઝનેસ અને નોકરીમાં પણ લાભનો પ્રબળ યોગ છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો માટે રામનવનીનો દિવસ શુભ હશે. નવા કામ અને રોકાણ માટે આ સારી તક છે. આ દિવસે નવું કામ અથવા રોકાણ કરી શકો છો. રોકાયેલા કામ ફરીથી શરૂ થઈ જશે. તેની સાથે સાથે આર્થિક સ્થિતિઓ પણ મજબૂત થશે.
તુલા
તુલા રાશિના જાતકોને રામનવમી પર શુભ સમાચાર મળવાના સંકેત છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. અપરણિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આવકના વિકલ્પ ખુલી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સમાજમાં પદ-પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે.