આજે 9 વર્ષ બાદ રામનવમી પર 5 ગ્રહોનો અદ્ભૂત સંયોગ બની રહ્યો છે તો જાણી લો મહત્વ અને સાથે જ તેનું મૂહૂર્ત.
આજે રામનવમીનો તહેવાર
9 વર્ષ બાદ બની રહ્યો છે 5 ગ્રહોનો અદ્ભૂત સંયોગ
જાણો રામનવમીનું મહત્વ અને મૂહૂર્ત
ચૈત્ર શુક્લ માસની નવમી તિથિને રામનવમી કહેવામાં આવે છે. આજે 21મીએ બુધવાર હોવાની સાથે સાથે ચૈત્ર શુક્લ નવમી તિથિ બની રહી છે. આજના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. નવમી તિથિને રામ જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે. તેની સાથે જ આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરાય છે અને ચૈત્ર નવરાત્રિની સમાપન પણ આજે થાય છે. આ માટે આ દિવસ ભક્તો માટે ખાસ રહે છે. જ્યોતિષના અનુસાર આ વર્ષે રામનવમીના દિવસે 5 ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે. પહેલા આ સંયોગ 2013માં બન્યો હતો. તો આ દુર્લભ સંયોગ 9 વર્ષ બાદ ફરી આવ્યો છે. તો જાણો તેની અસર, મહત્વ અને આજનું શુભ મૂહૂર્ત પણ.
જાણો રામનવમીનું મહત્વ
જ્યોતિષ અનુસાર રામ નવમી 21 એપ્રિલે સવારે 7.59 મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહેશે. આ પછી અશ્લેષા નક્ષત્ર આરંભ થશે અને તે સવારે 8.15 મિનિટ સુધી રહેશે. આ દિવસે ચંદ્ર આખો દિવસ અને રાતે પોતાની રાશિ કર્કમાં રહેશે. સાતમા ભાવમાં સપ્તમ ભાવમાં સ્વગ્રહી શનિ, દસમા ભાવમાં સૂર્ય, બુધ અને શુક્ર છે. આ દિવસે બુધવાર પણ છે. ગ્રહોની આ સ્થિતિના કારણે આ વખતની રામનવમી ખૂબ જ શુભ રહેશે. આ દિવસે પૂજા પાઠ અને ખરીદી કરવાનું શુભ ફળ આપનારું રહેશે. જ્યોતિષના અનુસાર ભગ વાન રામનો જન્મ કર્ક લગ્ન અને કર્ક રાશિમાં થયો હતો. આ વખતે સામનવમી પર લગ્નમાં સ્વગ્રહી ચંદ્રનું હોવું સુખ અને શાંતિ આપનારું રહેશે. સવારે પુષ્ય નક્ષત્ર અને પછી અશ્લેષા નક્ષત્ર હોવાથી આ દિવસની શુભતામાં વધારો થશે.