રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી લોકો છૂટ્ટા હાથે દાનની સરવાણી વહાવી રહયા છે, અત્યાર સુધીમાં 1600 કરોડથી વધુ રૂપિયા ટ્રસ્ટ પાસે એકઠા થઇ ચૂક્યા છે.
રામ મંદિર નિર્માણ માટે આવ્યું 1600 કરોડનું દાન
અત્યાર સુધીમાં લગભગ 400 કિલો ચાંદીની ઈંટો મળી
રામ મંદિર ટ્રસ્ટની અપીલ, હવે પ્લીઝ ઈંટો ન મોકલતા
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટેનું કામ શરૂ થઇ ચૂક્યું છે, આ નિર્માણ માટે આખા દેશમાંથી લોકો પાસે નિધિ ઉઘરાવવાનું શરૂ થઇ ગયું છે, અને લોકો પણ પોતાના ઇષ્ટ માટે છુટ્ટા હાથે ફાળો આપી રહયા છે, એક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં રામ મંદિર ટ્રસ્ટ પાસે કુલ 1600 કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી થઇ ગઈ છે, અને હવે ટ્રસ્ટે લોકોને એક અપીલ કરી છે કે મહેરબાની કરીને ચાંદીની ઈંટો ન મોકલશો, અમારા બધા લોકર્સ આ દાનની આ ઈંટોથી ભરાઈ ચૂક્યા છે.
ચાંદીની ઈંટો ન મોકલવાની અપીલ કરવામાં આવી છે
રામ મંદિર નિર્માણ માટે હાલમાં એકીસાથે ઘણી ટીમો ઘરે ઘરે જઈને ફંડફાળો ઉઘરાવી રહી છે, જો કે ટ્રસ્ટે હવે લોકોને દાનમાં ચાંદીની ઈંટો ન મોકલવાની અપીલ કરી છે, કેમ કે અમારા બધા લોકર્સ આ ચાંદીની ઈંટોથી ભરાઈ ગયા છે અને આ ચાંદીની ઈંટોની સુરક્ષા માટે ઘણા બધા પૈસાનો ખર્ચ થઇ રહ્યો છે, માટે જ્યારે હવે જરૂર પડશે ત્યારે આવી ઈંટોનું દાન સ્વીકારવામાં આવશે, ત્યાં સુધી ભક્તોને આવી ઈંટો ન ઓકલવાની અપીલ કરાઈ છે.
મહત્વનું છે કે અત્યાર સુધીમાં રામ મંદિર ટ્રસ્ટને 400 કિલો જેટલી ચાંદીની ઈંટો દાનમાં મળી ચૂકી છે, અને કુલ 1600 કરોડ રૂપિયાનું દાન મળી ચૂક્યું છે, નોંધનીય છે કે દેશભરમાં અત્યારે વિવિધ સ્તરે ઘણી ટીમો રામ મંદિર નિર્માણ માટે ફંડ એકઠું કરવાનું કામ કરી રહી છે, આવનારા 39 મહિનાઓની અંદર મંદિર નિર્માણનું કામ પૂર્ણ થઇ જવાની સંભાવના સેવાઈ રહી છે.