રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પ્રબંધ મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત ટ્રસ્ટના સભ્યોએ ગુરૂવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસ સ્થાન પર મુલાકાત કરી હતી. આ સાથે ટ્રસ્ટના સભ્યોએ પીએમ મોદીને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું.
રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પીએમ મોદી સાથે કરી મુલાકાત
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક બુધવારના રોજ યોજાઇ હતી
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે હાલમાં જ બનાવાયેલું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક બુધવારના રોજ યોજાઇ હતી.
ટ્રસ્ટના મહાસચિવ અને વિશ્વ હિંદુ પરિષદના નેતા ચંપત રાય તથા કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગિરી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ મુલાકાત બાદ મહતં નૃત્ય ગોપાલ દાસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અયોધ્યા આવવા (ભૂમિપૂજન માટે) આમંત્રણ આપ્યું. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે હું આ અંગે વિચાર કરીશ.
તારીખ નક્કી નહીં
ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજનની તારીખ જો કે હજુ નક્કી કરવાની બાકી છે. પરંતુ આગામી મહીનામાં થાય તેવી શક્યતા છે. આ પછી ચંપત રાયે કહ્યું કે રામ મંદિરના ટ્રસ્ટીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં, આ એક સૌજન્ય મુલાકાત હતી. આ બધાની વચ્ચે VHP ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અલોક કુમારે કહ્યું કે રામનવીના અવસર પર 25 માર્ચથી 8 એપ્રિલ સુધી 'રામોત્સવ' મનાવામાં આવશે.
Delhi: Ayodhya Ram Temple trust board members met Prime Minister Narendra Modi at 7 Lok Kalyan Marg, today. pic.twitter.com/aHjbYgbSn7