અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ વાત કરી છે. રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રધાનમંત્રીએ કહ્યું કે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મંદિર બનવું જોઈએ. કોઈ પણ પ્રકારની કડવાહટ વગર પ્રભુ રામના મંદિરનું નિર્માણ થવું જોઈએ.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર બોલ્યા પ્રધાનમંત્રી
સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે બને અયોધ્યામાં રામ મંદિર-PM
કોઈ પણ કડવાહટ વગર થાય ભવ્ય મંદિરનું નિર્માણ- PM
આપને જણાવી દઈએ કે રામ મંદિર ટ્રસ્ટ સભ્યોની એક બેઠક પ્રધાનમંત્રી મોદી સાથે યોજાઈ હતી. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલદાસ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આ જ બેઠકમાં PMએ ટ્રસ્ટીઓને આ સલાહ આપી હતી.
તાજેતરમાં જ રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને કમિટીની કરાઇ છે રચના
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠકનો આજરોજ મળી હતી. જેમા મહંત નૃત્ય ગોપાલદાસ ટ્રસ્ટના અધ્યક્ષ રહેશે, જ્યારે વીએચપી નેતા ચંપત રાયને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ અગ્ર સચિવ નૃપેન્દ્ર મિશ્રાને મકાન બાંધકામ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ ગિરી હશે. આ બેઠકમાં 9 ઠરાવો પસાર થયા છે.
કેવું હશે રામ મંદિર
આ મોડલ ભગવાન વિષ્ણુના પસંદના અષ્ટકોણીય આકારમાં હશે, નાગર શૈલીમાં પૂર્ણતયા પથ્થરથી બનાવાશે મંદિર, 2 માળના મંદિરમાં 5 પ્રવેશદ્વાર હશે, મંદિર 128 ફૂટ ઊંચુ અને 140 ફૂટ પહોળુ હશે, મંદિરની લંબાઈ 268.5 ફૂટ હશે , 2 માળના મંદિરમાં 212 સ્તંભ હશે, મંદિરની છતમાં એક શિખર હશે, શિખરને ભવ્યતાને ધ્યાનમાં રાખીને બનાવાશે, મંદિરમાં સિંહદ્વાર, નૃત્યમંડપ, રંગ મંડપ, પૂજા-કક્ષ અને ગર્ભગૃહ હશે, રામલલાની મૂર્તિ નિચલા સ્તરે જ બિરાજમાન હશે , મંદિરમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ નહીં કરવામાં આવે, મંદિર નિર્માણમાં 1.75 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થશે, 2024-25 સુધીમાં તૈયાર થઈ શકે છે રામ મંદિર.
મંદિર ન બને ત્યાં સુધી રામલલાને બુલેટપ્રુફ કોટેજમાં રાખવામાં આવશે
અયોધ્યામાં ભગવાન રામલલાને પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવશે. ભગવાન રામલલાને બુલેટપ્રુફ કોટેજમાં રખાશે. જ્યાં સુધી મંદિર નહી બને ત્યા સુધી ભગવાનને બુલેટપ્રુફ કોટેજમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. સાથે જ મંદિર નિર્માણ માટે 4 શુભ મૂહુર્ત પર પણ બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. તો આગામી 2 માસના 4 શુભ મૂહુર્ત પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.