અયોધ્યામાં ભૂમિ પૂજન પહેલા ઓલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ બાબરી મસ્જિદ પર ટ્વીટ કર્યુ છે. ઓવેસીએ બાબરી જિંદા હૈ હેશટેગ સાથે ટ્વીટ કર્યુ . ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના સાંસદ ઓવેસીએ રામ મંદિર ભૂમિ પૂજનમાં પીએમ મોદીના ભાગ લેવા પર વાંધો ઉઠાવ્યો હતો.
1992માં ક્રિમિનલ ભીડે તેને ધ્વસ્ત કરી હતી
અમે નહીં ભૂલી શકીએ કે 400વર્ષથી વધારે સમય સુધી બાબરી મસ્જિદ અયોધ્યામાં હતી
ઓવેસીની ટ્વીટ બાદ ટ્વીટર પર ઝડપથી પ્રતિક્રિયા આવવાની શરુ થઈ ગઈ છે. કેટલાય લોકોએ તેમના પર સુપ્રીમ કોર્ટની અવમાનનાનો આરોપ લગાવ્યો છે. એક યુઝર્સે લખ્યુ કે તમે ભારતીય સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન નથી કરી રહ્યા. એનાથી સાબિત થાય છે કે તમે ખુન અને ધર્મમાં બીજા લોકોના હક પર જબરજસ્તી દાવો અને અનાદર કરવામાં રચ્યા પચ્યા રહો છો. આ જ કામ બાબરે કર્યુ હતુ.
ઓવેસીએ આ પહેલા પીએમના મંદિરના શિલાન્યાસમાં જવા પર સંવિધાનની શપથનું ઉલ્લંઘન ગણાવ્યું. તેણે કહ્યું કે પંથનિરપેક્ષતા ભારતના સંવિધાનનો અભિન્ન અંગ છે અને તેનો અનાદર થશે. ઓવેસીએ કહ્યું કે અમે નહીં ભૂલી શકીએ કે 400વર્ષથી વધારે સમય સુધી બાબરી મસ્જિદ અયોધ્યામાં હતી અને 1992માં ક્રિમિનલ ભીડે તેને ધ્વસ્ત કરી હતી.