ગત વર્ષે ઓગસ્ટમાં રામ મંદિરનાં નિર્માણ માટેનું ભૂમિપૂજન સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
રામ મંદિરની પ્રતિકૃતિ ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ કરાઈ
લોકોએ રામ મંદિરની પ્રતિકૃતિને તાળીઓથી વધાવી લીધી
ગત વર્ષે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો
રામ મંદિરની પ્રતિકૃતિને વધાવી લીધી
દેશની રાજધાની નવી દિલ્હીમાં ગણતંત્રણ દિવસ પરેડ દરમિયાન જ્યારે અયોધ્યામાં પ્રસ્તાવિત ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિની ઝાંખી રાજપથ પર પસાર થઈ ત્યારે મંત્રીઓ સહિત ત્યાં હાજર રહેલ બધા લોકો ઉભા થઈ ગયા અને તાળીઓથી રામ મંદિરની પ્રતિકૃતિને વધાવી લીધી હતી. અયોધ્યાનું દીપોત્સવ સેલિબ્રેશન રજૂ કરાયું
ભગવાન રામની જન્મભૂમી માનવામાં આવતી આ ઝાંખીમાં દીપોત્સવ અને રામાયણ સાથે જોડાયેલ વિભિન્ન કથાઓની ઝલક હતી. જેનાં અગ્રભાગમાં મહર્ષિ વાલ્મિકીની મોટી પ્રતિમા હતી. ઉત્તર પ્રદેશ સરકારની આ ઝાંકીમાં અયોધ્યાનાં દીપોત્સવ સેલિબ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. રામ મંદિર નિર્માણ 2023માં પૂરું થવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગસ્ટમાં રામ મંદિરનાં નિર્માણ માટેનું ભૂમિપૂજન સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયુ હતું. પ્રધાનમંત્રીએ અયોધ્યામાં પહોંચીને ભૂમી પૂજન કર્યું અને મંદિરની આધારશિલા રાખી હતી. જેનું નિર્માણ 2023 સુધી પૂરું થવાની શક્યતા છે. 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રતિકૃતિઓ રજૂ કરાઈ
યુપી સરકારે એક અધિકારીને જણાવ્યું કે, અયોધ્યા અમારા માટે પવિત્ર સ્થાને છે અને રામ મંદિરની બાબતે દરેક વ્યક્તિ ભાવનાત્મકરુપે જોડાયેલું છે. અમારી ઝાંકીમાં મંદિરનાં નગર અયોધ્યાની પ્રાચીન વિરાસતને દર્શાવવામાં આવ્યુ છે. ગણતંત્ર દિવસની પરેડને દેશ અને પૂરા વિશ્વમાં કોરોનાની મહામારીને લીધે ટૂંકી કરી દેવામાં આવી હતી. જે પરેડમાં 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંકીઓને સામેલ કરવામાં આવી હતી.