અયોધ્યાઃ પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભ વચ્ચે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ચર્ચામાં છે. દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી 17 ફેબ્રુઆરીએ પ્રયાગથી અયોધ્યા કૂચ કરશે. શંકરાયાર્યની સાથે અન્ય સંત પ્રતાપગઢ અને સુલતાનપુરના રસ્તે થઇને 19 ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ વિરાટ સભાનું આયોજન કરવામાં આવશે અને 21 ફેબ્રુઆરીએ રામ મંદિરનો શિલાન્યાસ થશે.
જણાવી દઇએ કે શંકરાચાર્યએ કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટે તેઓ અયોધ્યાના શિલાન્યાસ કાર્યક્રમને કોઇ પરિસ્થિતિમાં નહીં ટાળીએ. જરૂર પડશે તો જેલ જવા માટે પણ તૈયાર રહીશું. શંકરાચાર્ય સ્વરૂપાનંદે તમામ રામભક્તોને એક-એક પત્થની સાથે અયોધ્યામાં પ્રસ્તાવિત શિલાન્યાસ કાર્યક્રમમાં પહોંચવાની અપીલ કરી છે. શંકરાચાર્યનો દાવો છે કે તેઓ અખાડા પરિષદના અધ્યક્ષ અને રામાનંદ સંપ્રદાયના સંતોનું પણ સમર્થન પ્રાપ્ત છે અને તેઓ તેમની સાથે અયોધ્યા કૂચ કરશે.
રામ મંદિર માટે અમે રાહ જોતા રહી જશું
શંકરાચાર્યએ જણાવ્યું કે આ યાત્રાને રામ આગ્રહ માટે અયોધ્યા પ્રસ્થાન નામ આપવામાં આવ્યું છે. આ સત્યાગ્રહની રેખા પર હશે. સંત અયોધ્યામાં માત્ર જમીન અને શિલા પૂજન નહીં પરંતુ રામ મંદિર બનાવવાનો સંદેશ આપવા માટે પણ જઇ રહ્યા છે કારણ કે હવે આમાં કોઇ તકલીફો નથી. શંકરાચાર્યએ લોકસભા ચૂંટણીના સમયે આ મુદ્દાને લઇને આંદોલન કરવા પૂછાયેલ સવાલના જવાબમાં કહ્યું કે સતત થઇ જ રહ્યા છે તેવામાં શું અમે રાહ જ જોતા રહીશું.
અવિવાદિત જમીન પર મંદિર બનાવવાથી મુખ્ય સ્થાન પરનો દાવો નબળો પડશે
સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે હાઇકોર્ટે પહેલા જ સ્વીકાર્યું છે કે વિવાદિત જમીન પર મંદિર હતું. તેમણે દાવો કર્યો છે કે તેઓ લાંબા સમયથી રામ મંદિરની લડાઇ લડતા આવી રહ્યા છે. કોર્ટમાં પણ તેમના વકીલ આ મુદ્દે પોતાનો પક્ષ રાખે છે એટલા માટે એ કહેવું ખોટુ હશે કે તેઓ આ લડાઇ માટે નવા છે. રામાલય ટ્રસ્ટથી તેઓ જોડાયેલ છે. કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા શંકરાચાર્યએ કહ્યું કે અવિવાદિત જમીન પર મંદિર બનાવવાના ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે. જો એવું થયું તો મુખ્ય જમીનથી અમારો દાવો ખુબ નબળો થઇ જશે.
હવે હિન્દુ એ હિન્દુ નથી જે બધુ સહન કરતો રહે
શંકરાચાર્યના સમર્થનમાં પહોંચેલ જગદ્ગુરૂ રામાનંદાચાર્ય સ્વામી રામ નરેશ આચાર્યએ કહ્યું હવે હિન્દુ તે હિન્દુ નથી જે બધુ સહન કરતો રહે. હવે તે પોતાનો હક લેવાનું પણ જાણે છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવવા પર પણ તેમણે કટાક્ષ કર્યો અને કહ્યું કે અયોધ્યામાં એક હજાર રામ મંદિર છે તેવામાં એક મૂર્તિ ઉભી કરવાની શું જરૂર છે જેની ન તો પ્રાણ પ્રતિષ્ઠા થાય કે ન તો તેમની પૂજા કરી શકાય.