બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પહેલા જ વરસાદમાં રામ મંદિરની છતમાંથી પાણી ટપકવાં લાગ્યું', મુખ્ય પૂજારીનો મોટો દાવો

અયોધ્યા / 'પહેલા જ વરસાદમાં રામ મંદિરની છતમાંથી પાણી ટપકવાં લાગ્યું', મુખ્ય પૂજારીનો મોટો દાવો

Last Updated: 05:53 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે રામ મંદિરની છત ટપકી રહી છે અને 2025 સુધીમાં કામ પુરુ થાય તેવું લાગતું નથી.

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિર મોટું નિવેદન આપીને ચર્ચા જગાવી છે. આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે જ્યાં રામ લલ્લા બેઠેલા છે ત્યાં પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે જેની તપાસ થવી જોઈએ. જે ઠેકાણે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેમાંથી પાણી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, તેના ઉપર પાણીમાં ચૂનો છે. આ સમસ્યા બહુ મોટી છે, પહેલા આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

2025 સુધીમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશે ?​

સત્યેન્દ્ર દાસે કહ્યું કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025માં પૂર્ણ થઈ જશે તો તે સારી વાત છે, પરંતુ તે અશક્ય છે કારણ કે હજુ ઘણું નિર્માણ કરવાનું બાકી છે. જુલાઈ 2025 સુધીમાં કામ પૂર્ણ કરવું અશક્ય છે, પરંતુ જો એવું કહેવામાં આવી રહ્યું છે તો હું તેનો સ્વીકાર કરું છું.

વધુ વાંચો : જેપી નડ્ડા રાજ્યસભામાં બન્યાં ગૃહના નેતા, ત્રીજી મોટી જવાબદારી મળી, ઝીલશે વિપક્ષી વાર !

22 જાન્યુઆરીના દિવસે થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા

ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે રામ મંદિરના મુખ્ય પૂજારી કહે છે કે પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે ત્યારે એક વર્ષ પણ નથી થયું . તેમણે તપાસની માંગ પણ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Acharya Satyendra Das Ayodhya Ram Mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ