યુપીના અયોધ્યામાં રામ મંદિરની પ્રસ્તાવિત ભૂમ પૂજનને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રીથી અનુરોધ કર્યો છે કે 5 ઓગસ્ટ 2020ના રોજ થનારું ભૂમિ પૂજનનું અશુભ મૂહુર્ત ટાલી દે. જો કે આ અપીલને લઈને શિવરાજ સરકારના મંત્રી અને ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ દિગ્વિજય સિંહ પર નિશાનો સાધ્યો છે અને તેમને અસુર સુધી ગણાવી દીધા છે.
હકીકતમાં દિગ્વિજય સિંહે એક પછી એક ટ્વિટ્સમાં સોમવારે પોતાની આ મુદ્દે વાત રાખી. કહ્યું કે "પાંચ ઓગ્સ્ટે ભગવાન રામના મંદિરના શિલાન્યાસના અશુભ મુહૂર્ત વિશે વિસ્તારથી જગદગુરુ સ્વામી સ્વરૂપાનંદજી મહારાજે સચેત કર્યા હતા. પીએમની સુવિધા પર આ અશુભ મુહૂર્ત નીકાળવામાં આવ્યું છે. એટલે કે નરેન્દ્ર મોદી હિન્દુ ધર્મની હજારો વર્ષની સ્થાપિત માન્યતાઓથી મોટા છે, શું આ જ હિન્દુત્વ છે?"
४- भारत के गृह मंत्री अमित शाह कोरोना पोजिटिव अस्पताल में।
५- मध्यप्रदेश के भाजपा के मुख्यमंत्री व भाजपा के प्रदेश अध्यक्ष कोरोना पोजिटिव अस्पताल में
६- कर्नाटक के भाजपा के मुख्यमंत्री कोरोना पोजिटिव अस्पताल में।
દિગ્ગીરાજાએ કહ્યું કે પીએમ તમે અશુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરીને હજુ કેટલા લોકોને હોસ્પિટલ મોકલવા માંગો છો? યોગી આદિત્યનાથ તમે જ મોદીજીને સમજાવો. તમે છો ત્યાં સુધી સનાતન ધર્મની તમામ મર્યાદાઓને કેમ તોડવામાં આવી રહી છે? અને તમારી એવી તો શું મજબૂરી છે કે તમે આ બધુ થવા દઈ રહ્યાં છો.
मोदी जी आप अशुभ मुहुर्त में भगवान राम मंदिर का शिलान्यास कर और कितने लोगों को अस्पताल भिजवाना चाहते हैं? योगी जी आप ही मोदी जी को समझाइए। आपके रहते हुए सनातन धर्म की सारी मर्यादाओं को क्यो तोड़ा जा रहा है? और आपकी क्या मजबूरी है जो आप यह सब होने दे रहे हैं?
તેમણે કહ્યું કે હવે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મંત્રીની કોરોના વાયરસથી મોત થઈ ગઈ. ભારતના ગૃહમંત્રી કોરોના વાયરસ પોઝિટિવ થયા. આવા સંજોગોમાં શું યુપીના મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનંમત્રીએ ક્વોરન્ટાઈન ન થવું જોઈએ? શું ક્વોરન્ટાઈન થવાનો નિયમ માત્ર સામાન્ય માણસ માટે જ છે. ક્વોરન્ટાઈનનો સમય 14 દિવસનો હોય છે.
पूरी पार्टी को ना करें पर पूरे मंत्री परिषद को तो कोरोंटीन होना चाहिए। ना जाने कितने अयोध्या वासीयों को यह कोरोना संक्रमित करेंगे। नियम सब के लिए एक होना चाहिए। https://t.co/DSs1hMXCGK
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે હું મોદીજીને ફરી એક વખત અનુરોધ કરું છે કે પાંચ ઓગસ્ટનું અશુભ મુહૂર્ત ટાળી દો. સેંકડો વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન રામ મંદિર નિર્માણનો યોગ આવ્યો છે. પોતાની હઠધર્મીતાથી તેમાં વિઘ્ન પડવાથી રોકો. ભગવાન રામ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને હજારો વર્ષોની અમારા ધર્મની સ્થાપિત માન્યતાઓની સાથે ખેલ ન કરો.