રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમ આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાવાનો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શિલાન્યાસ થવા જઇ રહ્યો છે તે પહેલા બુધવારે તેઓ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ પહેલાં, ભૂમિપૂજનનો મોટો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ માટે અયોધ્યા આવી રહ્યા છે. પીએમ મંદિરના નિર્માણ માટે પાયાની ઇંટ રાખશે.
અયોધ્યામાં આજે રામ મંદિરનું ભૂમિ પૂજન
પ્રધાનમંત્રી મોદી 3 કલાકનું અયોધ્યામાં કરશે રોકાણ
ચાંપતા બંદોબસ્ત અને કોવિડ-19 અંગેની ગાઇડલાઇનના પાલન વચ્ચે યોજાશે કાર્યક્રમ
નોંધનીય છે કે,આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં કુલ ત્રણ કલાક સમય વિતાવશે. આ પહેલા સોમવારે અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પૂજારી વતી કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી જન્મભૂમિ તરફ જતાં પહેલા પૂજા કરવા હનુમાનગઢી જશે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનના આશીર્વાદ વિના ભગવાનનું કોઈ કાર્ય શરૂ થશે નહીં, પીએમ મોદી સૌ પ્રથમ ભગવાન હનુમાનની પૂજા કરીને આશીર્વાદ લેશે, ત્યારબાદ તેઓ ભૂમિપૂજન માટે જશે. ત્યારે શું છે પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ જાણો વિગતવાર...
સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને રામભક્તોને પાઠવ્યા અભિનંદન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે CM નિવાસસ્થાને ફટાકડા ફોડીને આ ઉત્સવની ઉજવણી કરી. જાણે કે દિવાળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ધામધૂમથી રામ મંદિર બનવાની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસે દિપોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો અયોધ્યામાં પણ બે દિવસ દિવાળી જેવો માહોલ છે.. સમગ્ર અયોધ્યામાં દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે.
આવો છે અયોધ્યાનો માહોલ અયોધ્યા સંપૂર્ણ રીતે રામમય થઈ ચૂકી છે. અહીં ભૂમિ પૂજન પહેલાં જ રામ નામ સંકીર્તન થઈ રહ્યું છે. જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. સામાન્ય વરસાદની પણ શરૂઆત થઈ છે. જો કે કાર્યક્રમના સ્થળે પહેલાંથી વોટરપ્રૂફ ટેન્ટ લગાવાયા છે.