રામ મંદિરના નિર્માણને માટે 5 ઓગસ્ટે થનારા ભૂમિપૂજનને લઈને અયોધ્યામાં ખાસ ઉત્સાહ છે. પીએમ મોદી પોતે ભૂમિપૂજનનો ભાગ બનવા અયોધ્યા પહોંચશે. જેમ જેમ ભૂમિપૂજનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અનેક નવી જાણકારીઓ સામે આવી રહી છે. આ સમયે ભૂમિપૂજન માટે 200 મહેમાનોની યાદી જે PMO ઓફિસથી તૈયાર કરાઈ હતી તેમને ખાસ પ્રકારનું અને પીળા રંગનો નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો છે. જુઓ કેવો છે આ ખાસ નિમંત્રણ પત્ર.
ભૂમિપૂજનના મહેમાનોનો નિમંત્રણ પત્ર આવ્યો સામે
ભૂમિપૂજન માટે 200 લોકોને અપાયું છે નિમંત્રણ
મહેમાનોને પીળા રંગનો અપાયું છે નિમંત્રણ પત્ર
200 મહેમાનોને મોકલાયું છે આમંત્રણ
મળતી માહિતી અનુસાર ભૂમિ પૂજનને માટે 200 મહેમાનોને આમંત્રણ મોકલાયું છે. રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની તરફથી મહેમાનોને પીળા રંગનું નિમંત્રણ પત્રક મોકલાયું છે જેમાં પીએમ મોદીની ઉપસ્થિતિને પણ જાહેર કરવામાં આવી છે. આ સિવાય મહેમાનોને 4 ઓગસ્ટની સાંજથી જ અયોધ્યાના કારસેવરપુરમ પહોંચવાની અપીલ પણ કરાઈ છે. સ્ટેજ પર ફક્ત 5 મહેમાનો ઉપસ્થિત રહેશે જેમાંથી 2 ગુજરાતી હશે.
ભાગવત, કલ્યાણ સિંહ અને ઉમા ભારતીને નિમંત્રણ
મહેમાનોની યાદીમાંથી કેટલાક લોકોના નામ સામે આવી રહ્યા છે જેમને ભૂમિપૂજનમાં નિમંત્રણ અપાયું છે તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહ, બીજેપી નેતા ઉમા ભારતી, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા સાધ્વી ઋતંભરા, બાબરી મસ્જિદના મુદ્ઈ રહેલા ઈકબાલ અંસારી અને રાજેન્દ્રદેવાચાર્યના નામ સામેલ છે.
કંઈક આવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ
5 ઓગસ્ટે પીએમ મોદી સવારે 11.15 મિનિટે સૌ પહેલા સાકેત મહાવિદ્યાલયમાં ઉતરશે. અહીંથી હનુમાનગઢી મંદિરની મુલાકાતે જશે. અહીં દર્શન બાદ પીએમ મોદી ભૂમિ પૂજન માટે રામ જન્મભૂમિ જશે. આ પછી તેઓ એક સંબોધન કરશે. લગભગ 2 કલાકના આ આયોજન બાદ તેઓ દિલ્હી માટે રવાના થશે.
5 अगस्त को प्रधानमंत्री भूमिपूजन के लिए आ रहे हैं, उन्होंने तय किया है कि पहले वो हनुमानगढ़ी में दर्शन करेंगे। यहां विशेष पूजा की व्यवस्था रहेगी। हमें 7 मिनट दिए गए हैं इसमें प्रधानमंत्री का आना-जाना शामिल है, करीब 3 मिनट पूजा में लगेंगे: महंत राजू दास, हनुमानगढ़ी के मुख्य पुजारी pic.twitter.com/0kSdwEZtob