પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદિરમાં ભૂમિપૂજન કરવાના છે. આ માટે તેઓ સવારે 11.30 મિનિટે અયોધ્યા સાકેત વિદ્યાલય હેલીપેડથી પહોંચશે. અહીં 150 જેટલા પોલીસકર્મીઓ તેમની સુરક્ષામાં રહેશે. ઉલ્લેખનીય છે આ તમામ પોલીસ કર્મીઓ કોરોના સંક્રમણથી સાજા થઈ ચૂક્યા છે.
આજે પીએમ મોદી અયોધ્યા પહોંચશે
150થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા સાથે કરશે ભૂમિપૂજન
આ તમામ પોલીસકર્મીઓ કોરોના સંક્રમણથી થઈ ચૂક્યા છે સાજા
પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં 3 કલાક માટે રોકાશે. અહીં તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રખાશે. મળતી માહિતી અનુસાર જે પોલીસ કર્મીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે તેમનામાં એન્ટીબોડી બની જાય છે. જેના કારણે તેમને થોડા મહિના સુધી કોરોનાની સંભાવના રહેતી નથી. આવા 150 પોલીસ કર્મીઓને પીએમ મોદીની સુરક્ષામાં રખાયા છે.
अयोध्या: हनुमान गढ़ी मंदिर परिसर में और मंदिर के बाहर बड़ी संख्या में सुरक्षा बल तैनात किया गया है।
राम मंदिर के भूमिपूजन से पहले प्रधानमंत्री नरेंद्र मोदी आज हनुमानगढ़ी मंदिर में दर्शन करेंगे। pic.twitter.com/Y3aWv1T6SC
યૂપી પોલિસના અનુસાર આ પ્રોટોકોલમાં સામેલ છે કે પીએમ સુરક્ષા ઘેરામાં સ્વસ્થ કર્મચારીઓ હોય અને આજે જે કોરોના મહામારીનો સમય છે ત્યારે કોરોના વોરિયર્સ સિવાય કોઈ સ્વસ્થ મળી રહ્યું નથી. માટે આ પ્રકારની ખાસ વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી અયોધ્યામાં 16 લોકો મોતને ભેટ્યા છે અને સાથે 604 કોરોનાના કેસ છે. આ તમામ પોલીસકર્મીઓ તમામ જગ્યાએ હાજર રહેશે જ્યાં પીએમ મોદી મુલાકાત લેશે.