દેશમાં ફેરીએકવાકર મંદિર-મસ્જીદનો શોર ચરમસીમાએ પહોંચ્યો છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઇને બંન્ને પક્ષકારો દ્વારા ખેંચતાણ ચાલી રહી છે. આગામી સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ મામલો વધુને વધુ ગરમાઇ રહ્યો છે. ત્યારે ધર્મ અને માનવતાનો આવો બોધ તૂર્કીના ઇતિહાસમાં પણ સ્વર્ણ અક્ષરે લખાયેલો છે.
1000 વર્ષ જૂની છે આ ઇમારત
આ ઇમારત તૂર્કીના ઇસ્તામ્બુલ શહેરમાં આવી છે. વિશાળ ગૂંબજ નીચે 4 મીનાર બનાવવામાં આવેલ છે. જેને હાગિયા-સોફિયાના નામથી ઓળખવામાં આવે છે. આ સાથે જ આ ઇમારતને દુનિયાની 8મી અજાયબી જાહેર કરવા માટે મથામણ પણ ચાલી રહી છે. કારણ કે અગત્યની વાત એ છે કે આ ઇમારત 1000 વર્ષથી જૂની છે જ્યાં પહેલા ચર્ચ હતું ત્યારબાદ મસ્જીદ બનાવવામાં આવેલ અને હવે તે એક મ્યુઝીયમ છે.
150 ટન સોનાનો ખર્ચ કરીને બનાવવામાં આવી છે આ ઇમારત
હાગિયા સોફિયાની કહાની ઇ. 532માં શરૂ થઇ હતી. રોમન સમ્રાટ જસ્ટિનિયને એક શાનદાર ચર્ચનું નિર્માણ કરવાના આદેશ આપ્યા. તેણે કહ્યું કે એવા ચર્ચનું નિર્માણ કરો કે જે અત્યાર સુધીમાં ક્યારેય ના બન્યું કે કે ના બની શકે. સમ્રાટના આદેશ બાદ આ સ્થળ પર ચર્ચનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું જેના માટે 10 હજાર કારીગરોને કામે લગાડવામાં આવ્યા. સમ્રાટે આ ચર્ચ બનાવવા માટે 150 ટન સોનાનો ખર્ચ કર્યો હોવાનું પણ સાંભળવા મળ્યું છે. લાંબા સમય બાદ આ ચર્ચ આકાર પામ્યું જેનું નામ 'હાગિયા-સોફિયા' એટલે કે 'પવિત્ર જ્ઞાન' આપવામાં આવ્યું.
સુલતાન મેહમત બીજાએ બનાવી મસ્જિદ
ઉલ્લેખનીય છે કે સાતમી સદી બાદ વિજાતિન વંશના લગભગ બધા રાજાઓનો રાજ્યાભિષેક પણ આ ચર્ચમાં કરવામાં આવ્યો હતો. થોડા સમય બાદ 1453માં કોસ્તાતિનોપોલમાં વિજાતિન શાસન પૂર્ણ થયું. ઓટોમાન સામ્રાજ્યના સુલ્તાન મેહમત બીજાએ આ શહેરને જીતી લીધું અને હાગિયા-સોફિયાને એક મસ્જિદમાં તબદીલ કરી. વિશાળ ગુંબજ પર ક્રોસની જગ્યાએ ચાંદ લગાડવામાં આવ્યો. આ સાથે જ ચર્ચમાં લગાવવામાં આવેલ તસ્વીરોને રંગી દેવામાં આવી. આ સાથે જ વિશાળ ગુંબજની બહાર 4 ખૂણે ચાર મીનર આકાર પામ્યા.
ભૂંસાવી ના શકાયું જીસસ મેરીનું પેંટીંગ
આજે પણ આ સ્થળે જીસસ મેરીનું પેન્ટીંગ જેવા મળે છે. જે પાંચસો વર્ષ સુધી સુલ્તાનો દ્વારા બનાવવામાં આવેલ મસ્જિદની મોડેલ રહી. જેમાં ઇસ્તાંબુલની પ્રસિદ્ધ બ્લૂ માસ્ક પણ શામેલ છે.
અતાતૂર્કે કર્યો વિરોધ
1923માં સાંસ્કૃતિક ક્રાંતિ આવી અને તૂર્કી એક ધર્મ નિરપેક્ષ દેશમાં બદલાયો. અતાતૂર્કે ધર્મને રાજનીતિથી અલગ કરી અને તેની નજર હાગિયા સોફિયા મસ્જિદ પર પડી અને તેણે કહ્યું આ રીતે ચર્ચને મસ્જિદમાં તબદીલ કરવું ખોટું છે અને 1934માં આ ઇમારતને એક મ્યુઝીયમ જાહેર કરવામાં આવ્યું.
બંન્ને ધર્મના લોકો કરે માગ
ચર્ચમાંથી મસ્જિદમાં તબદીલ થયેલ આ ઇમારતને લઇને ખુબ મોટાપાયે ચર્ચા અને વિરોધ થયો અને બંન્ને ધર્મના લોકો તેની માગ કરી રહ્યા છે. આ સાથે ઇસાઇ લોકોને પણ પ્રેયર કરવાની પરવાનગી આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
વોટરને લોભાવવાનો પ્રયત્ન અહીં પણ
આજના સમયમાં મુસ્લિમ ચરમપંથી અને ઇસાઇ સમુદાયના કટ્ટરપંથી પોત-પોતાના ધર્મનો હિસાબ સતત માગતા રહે છે ત્યારે સ્થાનિક રાજનેતાઓ દ્વારા પણ આ ઇમારતને લઇને વોટર્સને લોભામણી વાતો કરવામાં આવી રહી છે.
દ્રઢ ઇચ્છાશક્તિ કોર્ટે કોઇનું ના સાંભળ્યું
ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર-2018માં તૂર્કીની વડી અદાલતે યાચીકાને નકારી કાઢી જેમાં કહેવામાં આવ્યું હતું કે હાગિયા-સોફિયામાં મુસલમાનોને નમાજ અદા કરવાની પરવાનગી આપવામાં આવે.