અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના ભૂમિ પૂજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ કાર્યક્રમ પહેલા સરકારે રામ મંદિરની સૂચિત તસવીરો જાહેર કરી છે. બન્યા બાદ અયોધ્યાનું રામ મંદિર આવું લાગશે.
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તડામાર તૈયારી
તસવીરો સરકારે કરી જાહેર
આપને જણાવી દઇએ કે, આવતીકાલે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવતની ખાસ ઉપસ્થિતિમાં ભૂમિ પૂજનનો મોટા કાર્યક્રમ યોજાશે અને પ્રધાનમંત્રી મોદી નિર્માણની પહેલી ઇંટ મુકશે.
ભૂમિ પૂજન કાર્યક્રમ પૂર્વે તડામાર તૈયારી
ભૂમિ પૂજન કાર્યક્રમ પૂર્વે અવધના ગામોમાં રામ અને અયોધ્યાના ગુણગાન ગાતાં ભક્તિ લોક ગીતો બહાર આવ્યા છે. આ ગીતો ફક્ત મંદિરોમાં જ નહીં, પણ ઘરો અને ચોપલ્સમાં પણ સંપૂર્ણ ભક્તિ, ઉમંગ અને ઉત્સાહથી ગાય છે.
દેશની અનેક નદીઓમાંથી લવાયું છે પાણી
આપને જાણાવી દઇએ કે, દેશની તમામ નદીઓમાંથી પાણી ભૂમિપૂજન માટે મંગાવવામાં આવ્યું છે. ઘણા લોકો માનસરોવરનું પાણી પણ લાવ્યા છે. રામેશ્વરમ અને શ્રીલંકાથી સમુદ્રનું પાણી પણ આવી ગયું છે. લગભગ 2000 સ્થળોએથી પાણી અને માટી લાવવામાં આવી છે.
અયોધ્યામાં 3 કલાકનું રોકાણ કરશે પ્રધાનમંત્રી મોદી
નોંધનીય છે કે,આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં કુલ ત્રણ કલાક સમય વિતાવશે. આ પહેલા સોમવારે અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પૂજારી વતી કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી જન્મભૂમિ તરફ જતાં પહેલા પૂજા કરવા હનુમાનગઢી જશે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનના આશીર્વાદ વિના ભગવાનનું કોઈ કાર્ય શરૂ થશે નહીં, પીએમ મોદી સૌ પ્રથમ ભગવાન હનુમાનની પૂજા કરીને આશીર્વાદ લેશે, ત્યારબાદ તેઓ ભૂમિપૂજન માટે જશે. ત્યારે શું છે પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ જાણો વિગતવાર...