મારી દ્રષ્ટિએ એ જે કામ કરે છે તે જ બરાબર છેઃ મોકરિયા
નરેશ પટેલની રાજકીય પ્રવેશને લઇને ઘણા સમયથી રાજકારણ ગરમાયુ છે. રાજકારણમાં પ્રવેશને લઇને સરવે ચાલી રહ્યો છે. તો બીજી તરફ એવી પણ વાત સામે આવે છે કે તેઓ કોંગ્રેસમાં જોડાશે. પરંતુ હજી સુધી નરેશ પટેલે આ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. થોડા જ દિવસોમાં સ્પષ્ટતા કરવામાં આવશે તેવુ આપણે વારંવાર સાંભળ્યુ પરંતુ નરેશ પટેલની રાજકીય એન્ટ્રી પર હજી પણ પ્રશ્નાર્થ છે . ત્યાે ભાજપના દિગ્ગજ નેતાએ આ અંગે મોટું નિવેદન આપ્યું.
નરેશ પટેલે ક્યા જવું તે તેણે નક્કી કરવાનુ છેઃ મોકરિયા
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ આ અંગે વાત કરતા જણાવ્યું કે તેઓ બિઝનેસ સાથે જોડાયેલા છે. સામાજિક કાર્ય કરી રહ્યા છે તે બરાબર છે. બાકી નરેશ પટેલે જે પક્ષમાં જવુ હોય ત્યાં જઇ શકે છે. કોઇ રોકી ન શકે તમેને. તેઓ સ્વતંત્ર છે. નરેશ પટેલે કયા પક્ષમાં જવુ તે તેમણે નક્કી કરવાનું હોય છે.
ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા
કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે નરેશ પટેલ થોડા સમય પહેલા ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા. રાજકોટના રિબડામાં ભાગવત કથાનો કાર્યક્રમ હતો. જેમાં મોટા-મોટા અગ્રણીઓ સામેલ થયા હતાં. આ કાર્યક્રમમાં મોહન કુંડારિયા, પ્રદિપસિંહ અને કુંવરજી બાવળિયા એક સાથે દેખાયા હતાં. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ સાથે જોવા મળતા એકવાર ફરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.