રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલમાં રાજસ્થાનના ઉદયપુરની મુલાકાતે છે. આ દરમિયાન મોહન ભાગવતે રામ મંમદિરને લઇને પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે રામનું કામ કરવું છે તો આ કામ થઇને રહેશે. ઉલ્લેખનીય છે કે આરએસએસ શરૂઆતથી જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તરફેણમાં છે.
આ અંગે અખિલ ભારતીય સ્તર પર ઘણા આંદોલન પણ કરવામાં આવ્યાં છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉદયપુરના બડગામ વિસ્તારમાં પ્રતાપ ગૌરવ કેન્દ્રમાં નવનિર્માણ ભક્તિધામ પ્રાણપ્રતિષ્ઠા અને જન સમર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે.
આ અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવત અને રામકથા વાચક સંત મોરારી બાપુએ મહારાણા પ્રતાપના શોર્ય, વીરતા, પરાક્રમ અને બલિદાનને યાદ કરી તેમાંથી પ્રેરણા લેવાની વાત કહી. મોહન ભાગવતે મોરારીબાપુના સંબોધનની યાદ અપાવતાં કહ્યું કે રામનું કામ દરેક લોકોએ કરવાનું છે અને આ કામ થઇને જ રહેશે. મોહન ભાગવતે કહ્યું કે રામ અમારા મનમાં વસે છે.
ભાજપની ફરી સરકાર બનવા જઈ રહી છે. ત્યારે RSSના વડા મોહન ભાગવતે ફરી રામ મંદિરનો રાગ છેડ્યો છે. રાજસ્થાનના ઉદયપુરમાં એક નિવેદન આપતા સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, રામનું કામ કરવું છે તો આ કામ થઈને રહેશે. મોહન ભાગવતે આ નિવેદન કથાકાર મોરારી બાપૂના હવાલાથી આપ્યું છે.
મોરારી બાપૂએ કહ્યું હતુ કે, રામનું કામ સૌએ કરવાનુ છે. આ નિવેદનને જોડતા મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, રામનુ કામ થઈને રહેશે. મોહન ભાગવતે એવું પણ કહ્યું કે, ભારત મહાશક્તિ બનશે અને બનીને જ રહેશે. અમારે ક્યાંથી ચાલવાનું છે અને ક્યાં જવાનું છે તે ધ્યાનમાં રાખીને દેશમાં કામ કરવાનું છે.