રામ જેઠમલાણી છેલ્લા કેટલા સમયથી ગંભીર રીતે બિમાર હતા. તેઓએ આજે સવારે દિલ્હીમાં 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રામ જેઠમલાની દેશના સૌથી મોંધા વકીલ ગણાતા હતા. તેમની એક હિયરિંગની ફી હલાવી દેનારી રહેતી.
રામ જેઠમલાણી અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય કાયદા મંત્રી અને શહેરી વિકાસ મંત્રી રહ્યા હતા. વર્ષ 2010માં તેમણી સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી. હાલમાં રામ જેઠમલાણી RJD ના રાજ્યસભા સાંસદ પણ હતા. એક વકીલ હોવાની સાથે તેમણે દેશના ઘણા બહુચર્ચિત કેસ લડ્યા, જેમાં ઘણા વિવાદિત હતા.
દેશનાસૌથીમોંઘાવકીલોમાંનાએક
તમને વિશ્વાસ નહીં આવે પણ રામ જેઠમલાનીના કેસની એક હિયરિંગની ફી 25 લાખ રૂપિયા હતી. તેનો અર્થ એ છે કે એક વાર કોર્ટમાં આવવા માટે રામ જેઠમલાની લેતા હતા 25 લાખ રૂપિયા. તેમની એક ખાસિયત એ હતી કે રામ જેઠમલાની અમીર વ્યક્તિઓ પાસે પોતાની ફી લેવામાં ખચકાતા નહીં અને ગરીબ અને જરૂરિયાત વાળી વ્યક્તિને માટે તેઓ 'પ્રો બોનો' એટલે કે ફી વિના જ કેસ લડતા હતા.
રામ જેઠમલાની દેશના સૌથી મોંધા વકીલોમાંના એક ગણવામાં આવતા. જેઠમલાની સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અને રાજનીતિક વ્યક્તિ હતા. તેઓએ અનેક કેસ લડ્યા છે.
લડી ચૂક્યા હતા આ વિવાદિત અને જાણીતા કેસ
ઈન્દિરા ગાંધીના હત્યારાનો કેસ હોય કે આસારામના જામીન મેળવવાનો કેસ જેઠમલાની મોખરે રહેતા.
અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ફાઈનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી દ્વારા લગાવવામાં આવેલા સિવિલ અને અપરાધિક માનહાનિના કેસમાં પણ તેઓ સામેલ હતા.
દિલ્હીના મુખ્યમંત્રીનો કેસ વડવા માટે રામ જેઠમલાનીએ લગભગ 3.86 કરોડનું બિલ આપ્યું હતું. તેઓએ રિટેનર શીપ માટે 1 કરોડ અને કોર્ટમાં દરેક વખત હાજર રહેવા માટે 22 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા.