રામજન્મભુમિ-બાબરી મસ્જિદ વિવાદ પર બુધવારના રોજ સુપ્રીમમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. 6 ઓગસ્ટથી સર્વોચ્ચ અદાલત આ મામલાની દરરોજ સુનાવણી કરી રહી છે અને બુધવારે તેનો નવમો દિવસ છે.
ગુરૂવારે થશે વધુ સુનાવણી
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ રામજન્મ સ્થાન તેમણે પુનરોદ્ધાર સમિતિના વકીલને કહ્યું કે, આ મામલે મજબૂત પુરાવાઓ રજૂ કરો અને પુરાણોનો ઉલ્લેખ ના કરો કારણ કે આ મામલો કોઇ આસ્થા સાથે નહીં પરંતુ વિવાદીત જમીનથી જોડાયલ છે. આ મામલે હવે સુનાવણી ગુરુવારે કરવામાં આવશે.
સવારે 11.50 કલાકે શરૂ થઇ સુનાવણી
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા મામલાની સુનાવણી આજરોજ સવારે 11.50 કલાકે હાથ ધરવામાં આવી હતી. રામલલ્લાના વકીલ વૈધનાથે કહ્યું કે, જો જમીન અમારી છે અને કોઇ દ્વારા તેના પર ગેરકાયદેસર રીતે ઢાંચો તૈયાર કરી દેવામાં આવ્યો છે તો જમીન તેમની થઇ જતી નથી.
જો ત્યાં મંદિર હતું તો લોકો પૂજા પણ કરી રહ્યા હતા તો તેમને કાઇ વિશેષ સાબિત કરવાની જરૂર લાગતી નથી. જેના જવાબરૂપે જસ્ટિસ બોબડેએ જણાવ્યું કે, તમારા તર્ક એ પ્રકારનો છે કે, મૂર્તિના સ્વામિત્વ વાળી સંપત્તિ અભેદ છે. જો કોઇ અન્ય વ્યક્તિ સંપત્તિ પર દાવો કરે છે તો તેને પોતાના કબજામાં રાખી શકે નહીં.
નોંધનીય છે કે, આ ચર્ચા લાંબો સમય ચાલ્યા બાદ બંધારણીય બેંચ લંચ માટે ઉઠી હતી. ત્યારબાદ ફરીવાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સ્કંદ પુરાણ અંગે સુપ્રીમના જજે કર્યો વકીલને સવાલ
સુપ્રીમ કોર્ટમાં રામલલ્લાના વકીલ દ્વારા સ્કંદ પુરાણ અને અન્ય પુરાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને રામજન્મભૂમિના પુરાવા સામે રાખવામાં આવ્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે વકીલને પૂછ્યું કે તમને ખબર છે કે તે ક્યારે લખાયો હતો. જેના પર વકીલે કહ્યું કે તે ગુપ્ત વંશ દરમિયાન લખાયેલું છે.
આસ્થાનો નહીં જમીનનો મામલો
આપને જણાવી દઇએ કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, કોઇ મજબૂત પુરાવાઓ જોઇએ. અમને નકશો દેખાડો અથવા એવું કાઇ બતાવો જેનાથી ખબર પડી શકે કે તમે જે સ્થાનનો દાવો કરી રહ્યા છો તે તે જ જગ્યા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, ધર્મગ્રંથોનું આ સમયના મામલે કાંઇ જ લેવા દેવા નથી કારણ કે આ આસ્થાનો નહીં જમીનનો મુદ્દો છે.