શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે રામ મંદિર નિર્માણ માટે ચલાવવામાં આવેલા 44 દિવસના નિધિ સમર્પણ અભિયાનમાં કલ્પનાથી વધુ અર્પણ થયું છે.
3500 કરોડ રૂપિયાથી વધુની રકમ થઇ એકઠ
શ્રીલંકા અને નેપાળ જેવા દેશોથી નથી લેવાયું દાન
15 જાન્યુઆરીથી શરૂ થઇને 27 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું અભિયાન
ચંપત રાયે કહ્યું કે, અમે આ અભિયાનથી 1 હજાર કરોડ રૂપિયા સુધીના અર્પણની આશા હતી, પરંતુ અત્યાર સુધીના આંકડાઓમાં આ 3 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી થઇ ગઇ છે, જ્યારે હજુ પણ અભિયાનની આ રાશિની ગણતરી ચાલુ છે. જેમાં વિદેશી મુદ્રા સામેલ નથી. કોર્પોરેટ સામાજિક દાયિત્વ ફંડની સાથે શ્રીલંકા અને નેપાળ જેવા દેશોથી પણ સમર્પણ નથી લેવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે, આ અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ થઇને 27 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. ચંપત રાય છતરપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ, અશોક સઘલ ફાઉન્ડેશન અને નમો સદ્ભાવના સમિતિ તરફથી આયોજિત વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં સામેલ સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે મંદિર નિર્માણની પ્રગતિની માહિતી આપતા કહ્યું કે, પાંચથી છ મહિનામાં પાયો ભરવાનું કામ પૂર્ણ થઇ જશે, જ્યારે ત્રણ વર્ષમાં આ રાષ્ટ્ર મંદિરનું નિર્માણ પૂર્ણ થઇ જશે. તેમણે જણાવ્યું કે, મંદિર માટે રાજસ્થાનના ભરતપુરથી લાલ પથ્થર મંગાવવામાં આવી રહ્યો છે. જોકે, આ એરિયાને રાજ્ય સરકારને વન વિસ્તાર જાહેર કરી રાખ્યો છે. તેવામાં મંદિર ટ્રસ્ટના આગ્રહ પર રાજ્ય સરકારે આ વિસ્તારને વનવિસ્તારની બહાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આશા છે કે આ બાધા પણ જલ્દીધી હટી જશે.