બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ BMCએ કરેલી કાર્યવાહી બાદ મામલો વધુ બિચક્યો છે. શિવસેનાની ધમકી વચ્ચે કંગના મુંબઇ પહોંચી છે અને હવે તેણે એક ટ્વીટ કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ખુલ્લો પડકાર ફેંક્યો છે. જો કે, આ તમામ વચ્ચે રામ ગોપાલ વર્માની એક ટ્વીટ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
કંગના રનૌતને લઇને મામલો વધુ ગરમાયો
રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરીને મહારાષ્ટ્રના ભવિષ્યના CM હોવાની કરી વાત
ટ્વીટ સોશિયલ મીડિયામાં થઇ વાયરલ
ઉલ્લેખનીય છે કે, જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વાર્માએ પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કંગનાને મહારાષ્ટ્રના આગામી સીએમ કહીને બોલીવુડ પર કટાક્ષ કર્યા છે.
Looks like KANGANA for sure is going to be the next CM of MAHARASHTRA and when that happens all BOLLYWOODIANS will have to shift to TIMBEKTOO
ઉલ્લેખનીય છે કે, રામ ગોપાલ વર્માની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેના પર લોકો કોમેન્ટ પર કરી રહ્યા છે. તો હવે કંગનાને કેટલાક લોકો સમર્થન પણ કરી રહ્યા છે.
શિવસેનાના વિરોધ વચ્ચે મુંબઇ પહોંચી કંગના
શિવસેનાની ધમકી અને વિરોધ વચ્ચે એક્ટ્રેસ કંગના રનૌત બુધવારે કંગના રનૌત મુંબઇ પહોંચી હતી. કંગના જ્યારે મુંબઇ એરપોર્ટ પર આવી ત્યારે શિવસેનાના લોકોએ એરપોર્ટ બહાર કાળા વાવટા સાથે કંગનાનો વિરોધ કર્યો હતો. સંજય રાઉતે સામનામાં લેખ લખીને કંગનાને ધમકી આપ્યા બાદ હવે તેનો વિરોધ કાળાવાવટા ફરકાવીને કરવામાં આવી રહ્યો છે.
વીડિયો શેર કરીને ઉદ્ધવ ઠાકરેને ફેંક્યો પડકાર
કંગના આ વીડિયોમાં કહી રહી છે કે, ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારું ઘર તોડીને મોટો બદલો લઇ લીધો? આજ મારું ઘર તૂટ્યું છે કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે દરેક વખતે એક સરખું નથી હોતું.
કાશ્મીર પર પણ બનાવીશ ફિલ્મ
કંગનાએ આ વીડિયોમાં કહ્યું, "... અને મને લાગે છે કે તે મારા પર મોટો ઉપકાર કર્યો છે. કેમ કે મને ખબર હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતી હશે. આજે મને સમજાયું છે અને આજે હું આ દેશને વચન આપું છું હું ફક્ત અયોધ્યા પર જ નહીં, પણ કાશ્મીર પર પણ ફિલ્મ બનાવીશ. અને હું મારા દેશવાસીઓને જગાડીશ. "
શું છે સમગ્ર ઘટના
શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી કે તે મુંબઇ પાછી ન આવે, પરંતુ કંગનાએ ગર્જીને કહી દીધુ હતુ કે તે મુંબઇ પાછી આવશે, કોઇના બાપમાં દમ હોય તો રોકી લો.
બંને વચ્ચેના આ ટ્વિટર વૉર બાદ બીએમસીએ કંગનાની ઑફિસ પર રેડ પાડી હતી અને તેની ઑફિસનુ ગેરકાયદેસર બાંધકામ તોડી નાંખવા માટેની નોટિસ પણ કંગનાને આપી હતી. કંગના મુંબઇથી બહાર હતી તેમ છતાં તેની ઑફિસ પર લોકો આવ્યા અને ગેરકાયદેસર બાંધકામના નામે તોડફોડ કરી.
કરણીસેના આવી કંગનાના સમર્થનમાં
એક તરફ શિવસેના કંગનાનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ કરણીસેના કંગનાના સમર્થનમાં આવી છે. કરણીસેનાના લોકો કંગનાની ઑફિસની બહાર આવીને સંજય રાઉતના પૂતળા બાળ્યા હતા.
શરદ પવાર કંગનાના સમર્થનમાં
રાજકીય નેતા શરદ પવારે પણ કંગનાને સમર્થન આપ્યુ છે અને શિવસેનાની આ હરકત પર કહ્યું કે, મુંબઇમાં બીજા ઘણા ગેરકાયદેસર બાંધકામ છે. માત્ર કંગનાની ઑફિસને શા કારણે ટાર્ગેટ કરવામાં આવી રહી છે.