રક્ષાબંધનના તહેવારને લઈને બજારોમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. સુરતમાં રક્ષાબંધનને લઈને બજારોમાં અવનવી મિઠાઇઓ જોવા મળી રહી છે. શહેરમાં આ વર્ષે સોનાના વરખવાળી મિઠાઈનુ વેચાણ વધુ થઈ રહ્યુ છે. મિઠાઇનો ભાવ પ્રતિ કિલો 9 હજાર રૂપિયા હોવા છતા મોટી સંખ્યામાં લોકો મિઠાઈ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. દિવાળીને લઈને વેપારીઓ દ્વારા ખાસ વેરાયટીઓ બનાવવામાં આવી રહી છે. સોનાના વરખ માટે માવા વગરની મીઠાઈ બનાવવામાં આવી છે. આ મીઠાઈ બનાવવા માટે ખાસ ડ્રાયફ્રૂટની મીઠાઈ તૈયાર કરાઈ છે.