શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન 11 ઓગષ્ટ, ગુરૂવારના દિવસે આવી રહી છે. જાણો આ દિવસે રાખડી બાંધતી સમયે બહેનોએ કઈ વાતનુ ખાસ ધ્યાન રાખવુ.
11 ઓગષ્ટના દિવસે મનાવવામાં આવશે રક્ષાબંધન
રાખડી બાંધતી સમયે બહેનોએ આ વાતનુ આવશ્ય ધ્યાન રાખવુ
જાણો, રાખડી બાંધવાના શુભ મુહૂર્ત
રાખડી બાંધતી વખતે આ બાબતોનુ રાખો ધ્યાન
ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતિક રાખીનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે મનાવવામાં આવે છે. પૂનમનુ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. માન્યતા છે કે શુભ કાર્યો માટે પૂનમ ઉત્તમ હોય છે. રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્તમાં બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. તો ભાઈ પણ બહેનને ગિફ્ટ આપી તેની રક્ષાનુ વચન આપે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે રાખડી બાંધતી વખતે અમુક વાતોનુ વિશેષ રીતે ધ્યાન રાખવુ જોઈએ. આ વાતોને નજરઅંદાજ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
રક્ષા બંધન 2022 શુભ મુહૂર્ત
હિન્દુ પંચાગ મુજબ 11 ઓગષ્ટ 2022ના રોજ રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત સવારથી જ શરૂ થઇ જશે. આ દિવસે સવારે 10 વાગ્યેને 38 મિનિટથી લઇને રાત્રે 9 વાગ્યા સુધી રાખડી બાંધવાનો યોગ્ય સમય છે. આ શુભ મુહૂર્તમાં તમે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો. ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન બપોરે 12 વાગ્યેને 6 મિનિટથી બપોરે 12 વાગ્યેને 57 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે અને અમૃત કાળ સાંજે 6 વાગ્યેને 55 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 20 મિનિટ સુધી રહશે.
બહેનો રાખે આ વાતનુ ખાસ ધ્યાન
જ્યોતિષ શાસ્ત્રમાં રક્ષાબંધનને લઇને અમુક નિયમો અંગે જણાવવામાં આવ્યું છે. આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા પહેરી લો. આ દિવસે સ્વચ્છતાના નિયમોનુ કડક પાલન કરો. આ સાથે શુભ મુહૂર્તમાં વિધિપૂર્વક પૂજા કરો. ભાઈ માટે રાખડીની થાળીને સારી રીતે સજાવો. રાખડીના દિવસે ભૂલથી પણ ગુસ્સો કે અભિમાન ના રાખો. ભાઈ-બહેન આજના દિવસે ભૂલથી પણ ઝગડો ના કરશો. રક્ષાબંધનનુ પર્વ સંપૂર્ણ શ્રદ્ધાભાવની સાથે મનાવો. વડીલોનો આશીર્વાદ મેળવો.