ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન 11 ઓગષ્ટે મનાવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણની પૂનમે મનાવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે હાથમાં કલાવા બાંધવાનુ વિશેષ મહત્વ છે.
રક્ષાબંધન 11 ઓગષ્ટે મનાવવામાં આવશે
આ દિવસે હાથમાં કલાવા બાંધવાનુ પણ વિશેષ મહત્વ
આખરે શું જોડાયેલુ છે તેની સાથે આધ્યાત્મિક કારણ
રક્ષાબંધનમાં રાખડીની જગ્યાએ કલાવા પણ બંધાય છે
હિન્દુ કેલેન્ડર મુજબ 11 ઓગષ્ટે ભાઈ-બહેનનો પવિત્ર તહેેવાર રાખડી મનાવવામાં આવશે. આ દિવસે બહેન પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે. હિન્દુ ધર્મમાં મૌલીને બાંધવુ વૈદિક પરંપરાનો એક ભાગ કહેવામાં આવે છે, કારણકે આ કાંડાના ચારે તરફ બંધાયેલો હોય છે. તેથી તેને કલાવા કહેવામાં આવે છે. જેને સામાન્ય રીતે ઉપ મણિબંધ વૈદિક નામથી જાણવામાં આવે છે. રક્ષાબંધનમાં રાખડીની જગ્યાએ કલાવા પણ બાંધવામાં આવે છે. આવો જાણીએ શું છે તેની સાથે જોડાયેલુ આધ્યાત્મિક કારણ.
હિન્દુ ધર્મ શાસ્ત્રોનુ માનીએ તો સર્વપ્રથમ દેવરાજ ઈન્દ્રની પત્ની શચીએ વૃતટસુરના યુદ્ધમાં સૌથી પહેલા ઈન્દ્ર દેવને રક્ષાસૂત્ર બાંધ્યુ હતુ. માન્યતા છે કે પ્રાચીનકાળમાં જ્યારે પણ કોઈ યુદ્ધમાં જતુ હતુ ત્યારે કલાવા અથવા મૌલી બાંધીને પૂજા કરવામાં આવતી હતી.
રાજા બલિએ ભગવાન વામનને કલાવા બાંધ્યું
એક અન્ય કથા મુજબ દાન પહેલા અસુર રાજા બલિએ યજ્ઞમાં ભગવાન વામનને કલાવા બાંધ્યુ હતુ. ત્યારબાદ વામન દેવે ત્રણ પગલા ભૂમિ દાન કરી પ્રસન્ન થઇને તેમની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધી અમરત્વનું વચન આપ્યું.