રક્ષાબંધનનો તહેવાર આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આજે 2 ખાસ સંયોગ બની રહ્યા છે. રક્ષાબંધને 29 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધિ અને આયુષ્માન દીર્ઘાયુનો શુભ સંયોગ બની રહ્યો છે. તો 558 વર્ષ બાદ આજે 3 ઓગસ્ટે શ્રાવણ મહિનામાં ગુરુ, શનિ, રાહુ અને કેતુની ચાલ વક્રી બનશે. જ્યોતિષીઓના અનુસાર આ ફેરફારોનો ખાસ ફાયદો મેષ, વૃષભ, કન્યા, ધનુ, મકર રાશિના લોકોને થશે. તેમના માટે આ સંયોગ અત્યંત લાભદાયી રહેશે.
આજે ઉજવાઈ રહ્યો છે રક્ષાબંધનનો તહેવાર
29 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધિ અને આયુષ્માન દીર્ઘાયુનો શુભ સંયોગ
558 વર્ષ બાદ ગુરુ, શનિ, રાહુ અને કેતુની ચાલ વક્રી બનશે
આ બંને સંયોગનું ફલ આ 5 રાશિના જાતકોને મળશે
મેષ
કરિયરમાં લાભના યોગ બનશે. અનાયાસ ધન લાભ પણ થઈ શકે છે. ભાઈ બહેનના મનની મનોકામનાઓ પૂર્ણ થશે. પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. તમારા માટે આજે શુભ રંગ લાલ રહેશે અને 80 ટકા ભાગ્યનો સાથ મળી રહેશે.
વૃષભ
કોઈ મોટા આર્થિક લાભનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે અને રોકાયેલા કામ સરળતાથી પૂરા થશે. ભાઈ બગેનને એકમેકનો સહયોગ મળશે. શુભ રંગ ગુલાબી હશે અને ભાગ્યનો સાથ 75 ટકા મળશે.
કન્યા
સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળશે. ઉપહાર અને ધન લાભના મજબૂત યોગ બની રહ્યા છે.બહેનને તેની પ્રિય ભેટ મળી શકે છે. તેનાથી લાંબા ગાળાનો લાભ થશે. યાત્રામાં સાવધાની રાખવી. શુભ રંગ સોનેરી રહેશે અને ભાગ્યનો સાથ 75 ટકા મળશે.
ધન
નોકરી કે વેપારમાં મોટા ફેરફારના યોગ બની રહ્યા છે. મોટો લાભ થવાની શક્યતા છે. પારિવારિક સમસ્યાઓ ઉકેલાશે, સન્માનમાં વધારો થશે. જાંબલી કલર તમારા માટે શુભ રહેશે. આ સાથે 80 ટકા જેટલો ભાગ્યનો સાથ મળશે.
મકર
પરિવારની દિનચર્યા સારી રહેશે, કોઈ મહત્વનું કામ પૂરું થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. કરિયરમાં મોટી સફળતાના યોગ બની રહ્યા છે. શુભ રંગ આસમાની છે અને ભાગ્યનો સાથ 90 ટકા મળશે.