બોલિવુડ એક્ટ્રેસ રાખી સાવંત પર આરોપ લગી રહ્યો છે કે તે પતિ આદિલ ખાન દુર્રાની પર આરોપ તેની પાસે એલિમની લેવા માટે કરી રહી છે. હવે એક્ટ્રેસે તેના પર ચુપ્પી તોડી છે.
રાખી સાવંત પર લાગ્યા હતા ગંભીર આરોપ
એક્ટ્રેસે આરોપોને લઈને તોડી ચુપ્પી
પતિ પર રાખીએ લગાવ્યા આ આરોપ
બી-ટાઉનની ડ્રામા ક્વીનના નામથી ફેમસ રાખી રાવંત હંમેશા વિવાદોમાં છવાયેલી રહે છે. એક સમય હતો જ્યારે તેના નિવેદન ચર્ચામાં રહેતા હતા. આજકાલ તેના પર્સનલ લાઈફમાં તોફાન આવેલું છે. એક્ટ્રેસે પોતાના પતિ આદિલ દુર્રાની પર મારઝુડ સહિત ઘણા આરોપો લગાવીને તેને જેલ મોકલી દીધો છે. તેનું કહેવું છે કે આદિલે તેને દગો આપ્યો છે. જોકે એક્ટ્રેસે કહ્યું કે તે પતિને ડિવોર્સ નથી આપવા માંગતી. જાણો કેમ....
આદિલને ડિવોર્સ નહીં આપે રાખી
રાખી સાવંતે એક રિપોર્ટમાં જણાવ્યું કે, "હું મરી જઉ પરંતુ આદિલને ડિવોર્સ નહીં આપું. કોઈ મારા જીવન સાથે રમી નહીં શકે. હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. હું ડિવોર્સ નહીં આપું." રાખી સાવંતના પતિ આદિલની જામીનને રિજેક્ટ કરવાને લઈને વકીલે કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે. આજે એટલે કે 15 ફેબ્રુઆરી 2023એ કોર્ટમાં બંન્ને પક્ષોની દલીલો સાંભળવામાં આવી. રાખી પતિને જામીન ન મળે તેના માટે એડી ચોટીનો દમ લગાવી રહી છે.
રાખીને નથી જોઈતી એલિમની
રાખી પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તે આ બધુ એલિમની મેળવવા માટે કરી રહી છે. તેના પર રાખીએ કહ્યું, "જો મારે એલિમની લેવી હોય તો મારા પહેલા પતિ રિતેશ જે કરોડપતિ છે. તેમની પાસેથી લઈ લેત પરંતું હું ક્યારેય એવું નહીં કરૂ. મારા રિયલ લગ્ન ફક્ત અને ફક્ત આદિલ ખાન દુર્રાની સાથે થયા છે. નિકાહ થયા અને રજીસ્ટર્ડ મેરેજ થયા. હું હવે એલિમની નહીં પરંતુ જામીન ન મળે તેના વિશે વિચારી રહી છુ. કારણ કે તેમણે કહ્યું કે જામીન મળ્યા બાદ તે પોતાની ગર્લફ્રેન્ડ નિવેદિતા સાથે લગ્ન કરશે."
પોતાના પર લાગેલા આરોપો પર શું કહ્યું રાખીએ?
રાખી સાવંતે આગળ કહ્યું, "લોકોને કહેવા માંગુ છું અને વકીલોને કહેવા માંગું છે કે મારા પર દાગ લગાવવાનું બંધ કરે. પહેલાથી મારા પતિએ મારા પર ખૂબ જ દાગ લગાવ્યા છે." આ ઉપરાંત રાખીએ તે મહિલાનો પણ ઉલ્લેખ કર્યો, જેણે પહેલી વખત આદિલને તેને મળાવ્યો હતો. તે મહિલાનું કહેવું છે કે તેણે પહેલાથી રાખીને ચેતવી હતી કે જે પણ કંઈ થઈ રહ્યું છે તે સંપૂર્ણ પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે.