બિગ બોસ ફેમ રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે નિકાહ બાદ ધર્મ બદલી લીધો છે. હવે એક્ટ્રેસે ધર્મ બદલવાને લઈને રિએક્શન આપ્યું છે.
રાખીએ બોયફ્રેન્ડ આદિલ સાથે કર્યા લગ્ન
લગ્ન બાદ કબૂલ કર્યો ઈસલામ
રાખી બની ફાતિમા
બી-ટાઉનની 'ડ્રામા ક્વીન' એટલે કે રાખી સાવંત હાલ આદિલ ખાન દુર્રાની સાથે પોતાના નિકાહને લઈને ચર્ચામાં છે. ચર્ચા ફક્ત લગ્નની નહીં પરંતુ રાખી સાવંતના ધર્મ અને ના બદલવા પર પણ છે. લોકો તેનુ કનેક્શન 'લવ જિહાદ' સાથે જોડી રહ્યા છે. હવે રાખી સાવંતે દરેક બાજુ ધર્મ બદલવાની ચર્ચા પર રિએક્શન આપ્યું છે.
ધર્મ બદલવા પર શું કહ્યું રાખીએ?
હાલમાં જ રાખી સાવંતે 'લવ જીહાદ' પર કમેન્ટ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. પરંતુ ધર્મ બદલવાના સવાલ પર જરૂર જવાબ આપ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં રાખી સાવંતે કહ્યું, "આ હિન્દુસ્તાન છે, કોઈ તાલિબાન નહીં." તેણે કહ્યું કે તેને ઈસ્લામ કબૂલમાં કોઈ સમસ્યા નથી કારણ કે તે બધાની પરવાનગી છે. રાખીએ 'લવ જીહાદ' પર કમેન્ટ કરવાનો ઈનકાર કરી દીધો છે. કારણ કે તેને લાગે છે કે તે આમ કરશે તો તેની મુશ્કેલીઓ બીજા ડાયરેક્શનમાં જતી રહેશે.
રાખી બની ફાતિમા
રાખી સાવંતે 'બિદ બોસ મરાઠી સીઝન-4'થી બહાર આવ્યા બાદ આદિલ ખાન સાથે પોતાના નિકાહની ખબર દુનિયાની સામે મુકી હતી. એક્ટ્રેસે લગ્નના અમુક ફોટો અને મેરેજ સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.
મેરેજ સર્ટિફિકેટથી ખબર પડી રહી હતી કે રાખીએ ધર્મ બદલી લીધો છે અને પોતાનું નામ રાખીથી બદલીને ફાતિમા કરી લીધુ છે. આટલું જ નહીં રાખી અને આદિલે 7 મહિના પહેલા નિકાહ કર્યા હતા.