રાકેશ ટિકૈત પર હુમલાના આરોપમાં ABVP નેતા સહિત 14 સામે થયેલી ફરિયાદમાં 4ની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, ટિકૈતે આરોપ લગાવ્યો હતો કે ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે.
ટિકૈતના કાફલા પર રાજસ્થાનમાં હુમલો થયો
રાકેશ ટિકૈતની કારના કાચ તુટી ગયા
હુમલા દરમિયાન અજ્ઞાત હુમલાખોરોએ ટિકૈત પર સ્યાહી પણ ફેંકી
રાકેશ ટિકૈતના કાફલા પર શુક્રવાર સાંજે 33 લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. ફરિયાદ અનુસાર, સ્વાગત કરવાના બહાને પહેલા ટિકૈતની ગાડી રોકવામાં આવી, ત્યારબાદ લાકડીથી કારનો કાચ તોડવામાં આવ્યો. આ સિવાય ટિકૈત પર કાળી શાહી પણ ફેંકવામાં આવી. આ હુમલામાં રાકેશ ટિકૈત અને રાજસ્થનાનના ડીજીપી એમએલ લાઠરના સસરા રાજારામ મીલના સુરક્ષાકર્મી પાસેથી હથિયાર પણ છીનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
33 લોકોએ હુમલો કર્યો હતો, 14ની ધરપકડ
ટિકૈત પર હુમલાના કેસમાં શુક્રવારે મોડી રાત્રે કેસ દાખલ કરાયો. આ મામલે પોલીસે ABVPના કાર્યકર્તા કુલદીપસિંહ યાવદ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે. રાકેશ ટિકૈત પર આ હુમલે તે સમયે થયો હતો, જ્યારે તેઓ સાવલીમાં સભા કર્યા બાદ બાનસૂરમાં સભા કરવા જઇ રહ્યા હતા.
ત્યારે, આ મામલે હવે રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. એક તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આ સમગ્ર હુમલા માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. તેમણે આ હુમલાને પૂર્વનિયોજીત પણ ગણાવ્યો છે. બીજી તરફ ભાજપે પણ આ હુમલાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપનું કહેવું છે કે, આ હુમલાથી તેમની પાર્ટીને કોઇ લેવાદેવા નથી. ભાજપે પોલીસ પર જ સવાલ ઉઠાવતા કહ્યું કે આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં થઇ હતી. અંતે પોલીસ ત્યાં મૂકદર્શક કેમ બની રહી?
ટિકૈતના કાફલા પર રાજસ્થાનમાં હુમલો થયો
ખેડૂત આંદોલન ભારતીય કિશાન યૂનિયનના નેતા અને પ્રવક્તા રાકેશ ટિકૈતના કાફલા પર રાજસ્થાનમાં હુમલો થયો છે. ખુદ ટિકૈત હુમલાની જાણકારી આપી છે. આ હુમલો અલવર જિલ્લામાં થયો છે. હુમલામાં રાકેશ ટિકૈતની કારના કાચ તુટી ગયા છે. જો કે કોઈને ઈજા પહોંચી નથી.
હુમલા દરમિયાન અજ્ઞાત હુમલાખોરોએ ટિકૈત પર સ્યાહી પણ ફેંકી
કાફલા પર હુમલા બાદ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી કહ્યુ, ‘રાજસ્થાનના અલવર જિલ્લાના તતારપુર ચૌરાહા, બાનસૂર રોડ પર ભાજપાના ગુંડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લોકતંત્રની હત્યાની તસવીર’ હુમલા દરમિયાન અજ્ઞાત હુમલાખોરોએ ટિકૈત પર સ્યાહી પણ ફેંકી,
વીડિયોમાં કેદ થયા દ્રશ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે ટિકૈત જે કારમાં સવાર હતા તેની પાછળનો કાચ તુટી ગયો છે. રિપોર્ટ્સ મુજબ ટિકૈતે કાફલા પર હુમલો તે સમયે થયો જ્યારે અલવરના હરસોરા ગામથી બાનસૂર તરફ આવી રહ્યા હતા. ટિકૈતે શુક્રવારે હરસોરામાં એક સભા સંબોધિત કરવા પહોંચ્યા હતા.
Rajasthan: Convoy of Bharatiya Kisan Union leader Rakesh Tikait's was attacked at Tatarpur Chowk, Alwar, today
Four persons have been detained, in connection with the incident; further investigation underway, say police pic.twitter.com/m1dAzasJMB
ત્યારે આ ઘટના પર પોલીસે કહ્યુ, અલવરના તાતરપુર ચૌક પર આજે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ અગાઉ કરવામાં આવી હતી. અને આગળની તપાસ ચાલૂ છે.
ઘટના બાદ રાષ્ટ્રીય રાજમાર્ગ 9ને બ્લોક કરી દેવાયો
ટિકેત પર હુમલાને લઈને ખેડૂત નેતા ભાજપને જવાબદાર ગણાવી રહ્યા છે. એટલું જ નહીં ટિકૈત પર હુમલાના સમાચાર આવતા જ ગાજિયાબાદમાં ખેડૂતોએ ભારે પ્રદર્શન કર્યુ જેમાં ભારે જામ કરવામાં આવ્યુ. રાજસ્થાનના અલવરમાં ભારતીય ખેડૂત યુનિયનના નેતા ટિકેતના કાફલા પર હુમલા બાદ ગાજીપુર સીમા પર પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રીય રાજમાર્ગ 9ને બ્લોક કરી દેવાયો. ઘણા સમય બાદ રાજ માર્ગ ખોલવામાં આવ્યો હતો.