છેલ્લા લગભગ 7 મહિનાથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાને લઈને પોતાની માંગ પર કાયમ છે ત્યારે સરકાર સાથે 11 વાર વાતચીત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આ સમયે રાકેશ ટિકૈતે સરકારને ચેતવણી આપી છે.
કેન્દ્રને Rakesh Tikaitની મોટી ચેતવણી
સરકાર માનવાની નથી, ઈલાજ કરવો પડશેઃ ટિકૈત
કૃષિ કાયદાની માંગને લઈને 7 મહિનાથી ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
સરકાર સાથેની લગભગ 11 વારની વાતચીત બાદ પણ ખેડૂતોની માંગને લઈને કોઈ નિર્ણય આવ્યો નથી. આ કારણે ખેડૂતો પણ સમાધાન વિના પરત ફરવા તૈયાર નથી. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ધમકી પણ આપી છે.
सरकार मानने वाली नहीं है। इलाज तो करना पड़ेगा। ट्रैक्टरों के साथ अपनी तैयारी रखो। जमीन बचाने के लिए आंदोलन तेज करना होगा। #FarmersProtest
ઈલાજ કરવો પડશે
રાકેશ ટિકૈતે રવિવારે ટ્વિટ કરીને લખ્યું છે કે હવે સરકરાનો ઈલાજ કરવો પડશે તે માનવા વાળી નથી. તેઓએ સાથે ખેડૂતોને ટ્રેક્ટર તૈયાર રાખવાનું પણ કહ્યું છે. જેથી ફરીથી દિલ્હી કૂચ કરી શકાય. ટિકૈતે કેન્દ્રને આંદોલનને વેગ આપવાની ચેતવણી પણ આપી દીધી છે.
26 જૂને આંદોલનને 7 મહિના પૂરા થશે
લગભગ 40 ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને રદ્દ કરવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનને 26 જૂને 7 મહિના પૂરા થવા જઈ રહ્યા છે. આ દિવસે દિલ્હીના ગાઝીપુર, ટિકરી, સિંધુ બોર્ડર પર 26 નવમ્બરે ધરણા કરશે. તેમની માંગ છે કે કેન્દર સરકાર 3 નવા કૃષિ કાયદાને રદ્દ કરે અને સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્યની કાયદાની ગેરંટી આપે.
દરેક વાતચીત રહી છે નિરર્થક
સરકાર અને ખેડૂત યૂનિયનની વચ્ચે અત્યાર સુધી 11 વાર વાતચીત થઈ છે. છેલ્લી વાર વાત 22 જાન્યુઆરીએ થઈ હતી. 26 જાન્યુઆરીએ ખેડૂતોએ ટ્રેક્ટર રેલીના સમયે હિંસા બાદ બંને પક્ષની વાતચીત રોકી હતી. સુપ્રીમ કોર્ટે 11 જાન્યુઆરી 2021ના રોજ 3 કૃષિ કાયદાને લઈને આદેશને સ્થગિત કર્યા છે.
સરકારનું વલણ સ્પષ્ટ
સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે 3 નવા કાયદાને પરત લેવાની મનાઈ કરી છે અને સાથે કહ્યું છે કે સરકાર આ મુદ્દે વાતચીત કરવા માટે અડધી રાતે પણ તૈયાર છે.