રાકેશ ટિકૈત (Rakesh Tikait) એક વાર ફરી આંદોલનના મૂડમાં છે. કારણ કે ટિકૈતે કહ્યું કે, 'સરકારે પોતાનું વચન તોડ્યું છે, ત્યારે હવે ખેડૂતોએ આંદોલન માટે તૈયાર રહેવું જોઈએ.'
ફરી વાર ખેડૂતો આંદોલનના ભણકારા
રાકેશ ટિકૈતનું મોટું નિવેદન - 'સરકારે પોતાનું વચન તોડ્યું'
શું ફરી વાર સીલ થશે દિલ્હીની બૉર્ડરો?
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી વાર ખેડૂત આંદોલનના એંધાણ આપ્યા છે. તેઓએ જણાવ્યું કે, ખેડૂતો આંદોલન માટે એક વાર ફરીથી તૈયાર રહે. વધુમાં જણાવ્યું કે, 'સરકારે એમએસપી પર ગેરંટી કાયદા સહિત અન્ય મુદ્દાઓ પર કરેલો વાયદો તોડ્યો છે. એટલાં માટે દેશભરના ખેડૂતોએ ભેગાં થઈને ફરીથી આંદોલન કરવું પડશે.'
આંદોલનની તારીખ હજુ નક્કી નથી
એક ખાનગી ન્યૂઝ અખબારના રિપોર્ટ અનુસાર, તમને જણાવી દઇએ કે, ટિકૈતે જણાવ્યું છે કે, હજુ સુધી અમે આંદોલનની કોઈ જ તારીખ નક્કી નથી કરી પરંતુ અમે ખૂબ જ જલ્દીથી તેને શરૂ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ. ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવા સાથે ખેડૂતોએ સરકાર પાસે મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) ના કાયદા સહિત અનેક માંગણીઓ કરી હતી. ત્યારે તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર બધું ભૂલી ગઈ છે પરંતુ ખેડૂતો પોતાને આપેલા વચનો નથી ભૂલ્યા. વ્યાજબી ભાવે વીજળી, સિંચાઈ અને પાક માટે એમએસપી જેવાં મુદ્દાઓ પર સરકાર દ્વારા હજુ સુધી કંઈ જ નથી કરવામાં આવ્યું.
કાર્યકર્તાઓની બેઠક
બીજી બાજુ મુઝફ્ફરનગરમાં મહાવીર ચોક સ્થિત કાર્યાલય પર કાર્યકર્તાઓની બેઠકમાં કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌનએ જણાવ્યું છે કે, 'કાર્યકરો ભેગાં થઈ જાવ. સરકાર વિરુદ્ધ ફરીથી લાંબો સંઘર્ષ કરવો પડશે.'