ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ધમકી આપતા જણાવ્યું કે એક વાર કોરોનાના નિયમો પૂરા થાય પછી દેશભરમાં આંદોલન ઉગ્ર બનાવીશું.
આજે ખેડૂત આંદોલનને પૂરા થયા સાત મહિના
ખેડૂત નેતા રાકેશ ટિકેતે કેન્દ્ર સરકારને આપી ધમકી
કોરોનાના નિયમો પૂરા થાય એટલી જ વાર
પછી દેશભરમાં આંદોલન ઉગ્ર બનાવીશું
આવતા મહિને 2 મોટી ટ્રેક્ટર રેલીઓનું આયોજન
આજે 26 જુને દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનને પ્રદર્શન કર્યાંને 7 મહિના પુરા થયા છે. આ પ્રસંગે ખેડૂતોએ દેશભરના રાજભવનોની બહાર પ્રદર્શન કર્યું. ટિકેતે કહ્યું કે આવતા મહિને આવી 2 મોટી ટ્રેક્ટર રેલીઓનું આયોજન કરવામાં આવશે.
તેમણે કહ્યું કે 9 અને 24 જુલાાીએ ટ્રેક્ટર રેલીઓનું આયોજન કરવામાં આવશે. આજની બેઠકમાં અમે આંદોલનનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. અમે 2 રેલીઓના આયોજનનો નિર્ણય કર્યો છે. 9 જુનની રેલીમાં શામલી અને બાગપતના લોકો હાજર રહેશે. આ રેલી 10 જુલાઈએ સિંધુ બોર્ડર પર પહોંચશે.
ખેડૂત આંદોલનને હવે સાત મહિના પૂરા થયા
ખેડૂત આંદોલનને હવે સાત મહિના પૂરા થઈ ચુક્યા છે અને આ આંદોલન હજુ પણ યથાવત છે. હવે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા સમગ્ર દેશમાં રાજભવન માર્ચનું એલાન કરવામાં આવ્યું છે. જેમા તેઓ રાષ્ટ્રપતિને તેમજ બધા રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોને મેમોરેન્ડમ આપવાના છે. ખેડૂતોએ આ વિરોધ પ્રદર્શનનું નામ "ખેતી બચાવો લોકતંત્ર બચાઓ" રાખ્યું છે. આ વિરોધ પ્રદર્શન દેશમાં આપાતકાલ લાગૂ થયો તેના 46 વર્ષ બાદ તેજ દિવસે કરવામાં આવશે. ખેડૂતોના નેતા યુદ્ધવીર સિહ દિલ્હીમાં ઉપરાજ્યપાલના ઘરે 8 થી 10 લોકો સાથે પહોચ્યા હતા. પોલીસે તેમને રાજભવનમાં ન જવા દીધા અને તેમની સાથે લઈ ગયા. સાથેજ પોલીસે ઉપરાજ્યપાલના ઘરની બહાર પણ કિલ્લાબંઘી કરી દીધી હતી.
ટ્રેકટરો રોકવા ટ્રક અને ડમ્પરો મુકાયા
ઉપરાજ્યપાલના ઘરે જવા વાળા બધાજ રસ્તા પર ભારે સંખ્યામાં પોલીસે કાફલો ગોઠવી દીધો છે. જેમા તેમણે કાંટાળા તાર અને બેરિકેટીંગ પણ ગોઠવી દીધા છે. ટ્રેકટરોને રોકવા માટે રસ્તા પર ટ્રક અને ડમ્પરો મુકી દેવામાં આવ્યા છે. પરંતુ આ મામલે રાકેશ ટિકૈતે એવું કહ્યું છે કે તેઓ દિલ્હી એલજીના આવાસ સ્થાન પર ટ્રેકટર લઈને નથી જવાના. સાથેજ તેમણે કહ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ખેડૂત નેતાઓને મળવાનો સમય પણ આપ્યો છે.
પંચકુલામાં ખેડૂતોએ બેરિકેડ્સ ઉખાડ્યા
વિરોધ પ્રદર્શનમાં આ વખતે ફરી હિંસા જોવા મળી છે. હરિયાણાના પંચકૂલામાં પોલીસ અને કેડૂતો વચ્ચે ઝપાઝપી થઈ છે. ખેડૂતો હરિયાણાના રાજ્યપાલને મેમોરેન્ડમ આપવા જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં પંચકૂલામાં પોલીસે તેમને રોક્યા. જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ બેરિકેડ્સ ફેકીને આગળ વધ્યા હતા.
સાત મહિનાથી ખેડૂતો ધરણા પર
રાકેશ ટિકૈતે ઉત્તરપ્રદેશ ગેટ પર જે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમને સંબોધીને કહ્યું ત્યા ખેડૂતો સાત મહિનાથી ધરણા પર બેઠા છે. તેમજ ગાજિયાબાદથી દિલ્લી જવા વાળા રાષ્ટ્રીય રાજમાર્ગના એક હિસ્સાને બંધ કરી દેવામાં આવ્યો છે.