લાલ કિલા હિંસા પર સરકારે નફરત ફેલાવવાનું કામ કર્યુંઃ રાકેશ ટિકૈત
જ્યાં સુધી સરકાર અમારા પક્ષમાં નિર્ણય નહીં લે ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીએઃ ટિકૈત
કરનાલ મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ધમકી આપી દીધી. મહામંચાયતમાં ટિકૈતે સરકાર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ટિકૈતે કહ્યું કે, સરકાર વધુ અમારો મગજ ખરાબ ન કરે, હજુ દેશના જવાન અને ખેડૂતોએ બિલ વાપસીનો નારો લગાવ્યો છે, સત્તા વાપસીનો નારો લગાવ્યો નથી.
લાલ કિલા હિંસા પર સરકારે નફરત ફેલાવવાનું કામ કર્યુંઃ રાકેશ ટિકૈત
ટિકૈતે કહ્યું કે, સરકારે જ લાલ કિલા પર ધાર્મિક ઝંડો લગાવીને નફરત ફેલાવવાનું કામ કર્યું હતું. સરકારને ચેતવણી આપતા ભારતીય યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે રવિવારે કહ્યું કે, ખેડૂતો જ્યાં સુધી શાંતિથી નહીં બેસે ત્યાં સુધી તેમની માંગ પૂરી ન થઇ જતી.
જ્યાં સુધી સરકાર અમારા પક્ષમાં નિર્ણય નહીં લે ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીએઃ ટિકૈત
કરનાલમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધિત કરતા ટિકૈતે કહ્યું કે, કેન્દ્ર વિરૂદ્ધ 40 નેતાઓએ આંદોલનની આગેવાની કરી છે. જ્યાં સુધી સરકાર અમારા પક્ષમાં નિર્ણય નથી લેતી, સમિતિ સાથે વાત કરીને માંગ પર સહમતિ નથી હોઇ શકતી, અમે શાંતિથી નહીં બેસીએ.
ખેડૂતોને નથી ખબર કે આ કાયદા મોટા કોર્પોરેટના પક્ષમાંઃ રાકેશ ટિકૈત
તેમણે કહ્યું કે, કાયદો ન માત્ર ખેડૂતોને પરંતુ નાના વેપારીઓ, ગ્રામીણો અને અન્ય વર્ગોને પણ પ્રભાવિત કરશે. કાયદો લાવવા પાછળ સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા ટિકૈતે કહ્યું કે, ગોડાઉન પહેલા બનાવવામાં આવ્યા અને કાયદા બાદમાં આવ્યા. ખેડૂતોને નથી ખબર કે આ કાયદા મોટા કોર્પોરેટના પક્ષમાં છે. આ દેશમાં ભૂખ પર વેપારની મંજૂરી નહીં આપવામાં આવે.
ગાઝીપુર બોર્ડર નહીં, સિંઘુ બોર્ડર જ મેઇન ઑફિસઃ રાકેશ ટિકૈત
ટિકૈતે ફરી કહ્યું કે, પંચ અને મંચ એક જ રહેશે. તેમણે કહ્યું કે, સિંઘુ બોર્ડર જ મેઇન ઑફિસ હશે. ન કે ગાઝીપુર બોર્ડર. જણાવી દઇએ કે, ગત વર્ષ સપ્ટેમ્બરમાં સંસદમાં પસાર થયેલા કૃષિ કાયદા વિરુદ્ધ ઉત્તરપ્રદેશના બીકેયૂ નેતા બે મહિનાથી વધુ સમય સુધી દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર ગાઝીપુરમાં ડેરો જમાવીને બેઠા છે.