કેન્દ્ર સરકારના પ્રસ્તાવ બાદ જ્યાં ખેડૂતોનું આંદોલન ટૂંક સમયમાં ખતમ થઈ જશે તેવી અટકળો ચાલી રહી છે તો બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે પ્રસ્તાવમાં ઘણી એવી બાબતો છે જે સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં હાલ આંદોલન ક્યાંય આગળ વધી રહ્યું નથી.
ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર
ટિકૈતે કહ્યું આંદોલન નહીં થાય પૂર્ણ
સરકારે મોકલેલી દરખાસ્ત સ્પષ્ટ ન હોવાની કરી વાત
રાકેશ ટિકૈતે કહ્યું છે કે સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે તેઓ અમારી માંગણીઓ સાથે સંમત થશે અને અમારે વિરોધ સમાપ્ત કરવો જોઈએ.
...SKM has said it today (that protest is likely to be withdrawn after tomorrow's meeting), Govt has been saying so for a year...but no one is going home until everything is resolved: BKU leader Rakesh Tikait pic.twitter.com/MMWLqNDh3L
પરંતુ દરખાસ્ત સ્પષ્ટ નથી. અમને અમારી આશંકા છે જેની ચર્ચા આવતીકાલે બપોરે 2 વાગ્યે થશે. અમારું આંદોલન ક્યાંય જવાનું નથી, તે અહીં જ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલની મીટિંગ પછી વિરોધ પાછો ખેંચવાની સંભાવના વિશે, રાકેશ ટિકૈતે કહ્યું, "SKMએ આજે કહ્યું છે અને સરકાર એક વર્ષથી આમ કહી રહી છે. પરંતુ જ્યાં સુધી બધું ઉકેલાઈ ન જાય ત્યાં સુધી કોઈ ઘરે જશે નહીં
Govt proposed that they will agree to our demands and that we should end the protest...but the proposal is not clear. We have our apprehensions which will be discussed tomorrow at 2 pm...Our movement is not going anywhere, will be here...: Rakesh Tikait, BKU pic.twitter.com/t7X2ePbRn5
આ પહેલા સંયુક્ત કિસાન મોરચાના યુદ્ધવીર સિંહે કહ્યું હતું કે 5 સભ્યોની કમિટીની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી આવેલ દરખાસ્ત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે પ્રસ્તાવ પર આજે સંયુક્ત કિસાન મોરચાના સાથીઓ સાથે બેઠક યોજાઈ, ચર્ચા થઈ. કેટલાક સાથીદારો પ્રસ્તાવ પર સ્પષ્ટતા ઈચ્છતા હતા.
તેમણે કહ્યું, “વિષયોની નોંધ લેવામાં આવી છે અને તે સરકારને મોકલવામાં આવશે. આવતીકાલ સુધીમાં સરકાર તરફથી જવાબ મળવાની આશા છે. આવતીકાલે 2 વાગે ફરી બેઠક મળશે. સરકાર તરફથી જે પણ જવાબ આવશે તેની ચર્ચા કરવામાં આવશે.
સરકારે સ્વીકારી છે તમામ માગણી
સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારે ખેડૂતોની તમામ માગ સ્વીકારી લીધી છે એટલે હવે ખેડૂતો આંદોલન પૂરુ કરે તેવી સંભાવના છે. ખેડૂત સંગઠનોને પાઠવેલા પત્રમાં સરકારે જણાવ્યું કે એમએસપી પર કમિટીની રચના કરવામાં આવશે અને આંદોલન દરમિયાન ખેડૂતો સામે નોધાયેલા તમામ કેસ પરત લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે શું માગ સ્વીકારી
કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને એક પત્ર મોકલાયો છે જેમાં તમામ માગ માનવાનું જણાવાયું છે.
(1) MSP પરની કમિટીમાં 5 ખેડૂતોને સામેલ કરવામાં આવશે, કાયદો બનશે
(2) આંદોલન દરમિયાન ખેડૂતોની સામે નોંધાયેલા તમામ કેસ પરત ખેંચાશે
(3) વળતર મુદ્દે પણ સરકારે માગ માની હોવાનો ખેડૂતોનો દાવો
આંદોલન પૂર્ણ થવાની અટકળો પર લાગી રોક
દિલ્હી બોર્ડર પર ચાલી રહેલું ખેડૂત આંદોલન આવતીકાલે એટલે કે બુધવારે ખતમ થઈ શકે છે. સંયુક્ત કિસાન મોરચાની મંગળવારની બેઠકમાં આ મુદ્દે કોઈ નિર્ણય ન થઈ શકતા હવે આવતીકાલની બેઠકમાં ખેડૂતો આંદોલન પૂરુ કરવાની જાહેરાત કરી શકે છે. સરકારે કૃષિ કાયદા પરત લીધા હોવાથી મોટાભાગના ખેડૂતો હવે આંદોલન પરત ખેંચવાના મૂડમાં છે. કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ અનુસાર એમએસપી પરની કમિટીમાં કિસાન મોરચાના 5 નેતાઓને સામેલ કરવામાં આવશે. એક વર્ષની અંદર ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચી લેવાની પણ સરકારે ખેડૂતોની માગ માની લીધી છે.