નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રદર્શન દરમિયાન ઉપદ્રવીઓ દ્વારા હિંસા ભડકાવવામાં આવી હતી. આ ઘટના બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોને પ્લાન બનાવીને ફસાવવામાં આવ્યા છે.
હિંસા માટે કેન્દ્ર - યુપી સરકાર જવાબદાર - ટિકૈત
કાયદાની વિરુદ્ધ પ્રદર્શન ચાલુ રહેશે
કાયદાને રદ્દ કરવાની માંગ પર અડ્યા છે ખેડૂત
હિંસા માટે કેન્દ્ર - યુપી સરકાર જવાબદાર - ટિકૈત
ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસાને લઈને આરોપ લગાવતા કહ્યું કે હિંસા કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતા છે. ખેડૂતોને પ્લાન બનાવીને ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા છે.
કાયદાની વિરુદ્ધ પ્રદર્શન ચાલુ રહેશે
રાકેશ ટિકૈતે કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને લઈને કહ્યું કે કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલન હજું પણ ચાલુ રહેશે. એ સાથે તેમણે કહ્યું કે જો કાયદાને લઈને સરકાર વાતચીત કરશે તો અમે વાતચીત કરીશું.
કાયદાને રદ્દ કરવાની માંગ પર અડ્યા છે ખેડૂત
નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન ગત 63 દિવસથી ચાલી રહ્યું છે અને ખેડૂત સતત 3 કાયદાને રદ્દ કરવા માટે માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ એમએસપી માટે કાયદાની ગેરંટી આપવામાં આવે અને 3 નવા કાયદાને રદ્દ કરવામાં આવે.
લાલ કિલ્લા પર ઉપદ્રવીઓ ધ્વજ સ્તંભ પર પણ ચઢ્યા હતા
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધ્વજ તથા ખેડૂત યુનિયનોના ઝંડા સાથે હજારો ખેડૂતો મંગળવારે ગણતંત્ર દિવસે ટ્રેક્ટરો પર સવાર થઈ રેલી કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક તોફાની તત્વોએ બેરિયરોને તોડી પોલીસ સાથે બાથ ભીડતા લાલકિલ્લાની ઘેરાબંધી માટે વિભિન્ન સીમા બિંદુઓથી રાષ્ટ્રીય રાજધાનીમાં દાખલ થયા. લાલ કિલ્લા પર ઉપદ્રવીઓ ધ્વજ સ્તંભ પર પણ ચઢ્યા હતા. અનેક સ્થળો પર પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે કેટલીક જગ્યાઓ પર અશાંત ભીડને વિખેરવા માટે આંસૂ ગેસના સેલ પણ છોડ્યા હતા. ત્યારે આઈટીઓ પર સેંકડો અસામાજિક તત્વો પોલીસકર્મીઓ પર લાઠીઓ લઈને દોડતા અને ઉભી રહેલી બસોને પોતાના ટ્રેક્ટરથી ટક્કર મારતા પણ નજરે પડ્યા હતા.
હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી
બુધવારે દિલ્હી પોલીસે જણાવ્યું કે ગત રેલી દરમિયાન હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ત્યારે ઈન્દ્રપ્રસ્થ પોલીસે પણ અજ્ઞાત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ પ્રદર્શન કારીઓમાં ટ્રેક્ટર ચઢવાના કારણે મરનારા ખેડૂતનું નામ પણ સામેલ છે. આ જાણકારી પોલીસ તરફથી મળી છે. આ ઘટનાઓ બાદ હવે સરકાર અને પ્રશાસન પણ એક્શન મોડમાં નજરે પડી રહી છે.