સરકારની તરફથી પહેલા પણ ખેડૂતોને લઈને અનેક વાર વાતચીતનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ખેડૂત નેતા કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અટલ છે ત્યારે બંને પક્ષમાં કોઈ સહમતિ હજુ સુધી બની શકી નથી.
સરકાર સાથે ફરી વાતચીત શરૂ કરવા ઈચ્છે છે ખેડૂતો
Rakesh Tikait એ કાયદો પરત લેવાની માંગ કરી
26મેના રોજ ખેડૂતો મનાવશે કાળો દિવસ
કોરોના મહામારીની વચ્ચે દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સરકાર સાથે વાતચીતને લઈને કોઈ સમાધાન આવી શક્યું નથી. કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ સરકાર સાથે અનેક વાર બેઠક કરી છે અને હવે ફરી એકવાર ખેડૂતો સાથે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો છે.
ક્યારે ખતમ થશે આંદોલન
ભાકિયૂ નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત સંગઠન કેન્દ્રની સાથે વાત શરૂ કરવા તૈયાર છે પણ આ વાતચીત નવા કૃષિ કાયદાને પરત લેવા માટે હોવી જોઈએ. તેઓએ કહ્યું કે તેમની માંગ પૂરી થતા પહેલા ખેડૂતોના પ્રદર્શન સ્થળથી હટવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો કે સરકારની તરફથી પહેલા પણ ખેડૂતો સાથે અનેક વાર વાતચીત થઈ છે. કિસાન નેતા કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર અડગ હોવાથી બંને પક્ષ વચ્ચે સહમતિ બની રહી નથી. ખેડૂતોની માંગ પર કેન્દ્ર સરકાર કાયદામાં સંશોધન મુદ્દે તૈયાર થઈ છે અને છતાં ખેડૂતોએ સકકારના પ્રસ્તાવને મંજૂર કર્યો નથી.
तीनों कृषि के काले कानून वापस होने के बाद व एमएसपी पर कानून बनने के बाद ही खत्म होगा किसान आंदोलन:- चौधरी राकेश टिकैत
કાયદો પરત લે સરકાર
ટિકૈતે કહ્યું કે જ્યારે સરકાર વાત કરવા ઇચ્છશે ત્યારે સંયુક્ત કિસાન મોર્ચા વાત કરશે. તેઓએ કહ્યું કે વાતચીતને માટે નવા કૃષિ કાયદાને પરત લેવાની વાત હોવી જોઈએ. સરકાર પહેલા પણ કોઈ કિંમતે આ કાયદા પરત ન લેવાનું કહી ચૂકી છે અને કાયદાને સતત ખેડૂતોના હિતમાં ગણાવી રહી છે.
6 મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે ખેડૂત આંદોલનને
ખેડૂત આંદોલનને 6 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે ત્યારે આ અવસરે ખેડૂત સંગઠનોએ 26મેના રોજ દેશવ્યાપી પ્રદર્શની જાહેરાત કરી છે. તેમાં 12 પ્રમુખ વિપક્ષી દળોએ સમર્થન કર્યું છે. આ સાથે આ દિવસે તેઓ કાળો દિવસ મનાવશે અને કાળા ઝંડા લહેરાવશે.